BAS EK TU RAAJI THA
BAS EK TU RAAJI THA
February 14, 2025 at 01:34 PM
*Happy Gunatit Priti Day* એકવખત ગુણાતીતાનંદસ્વામીના દર્શન કરવા કલ્યાણભાઈ, વેલો સથવારો, રામભંડેરી એ બધા અંગત સેવકો દર્શન કરવા આવ્યા હતા. સમૈયૌ પૂરો થયો અને બધા હરિભક્તો દર્શનનો લાભ લઈને નીકળતા હતા. રામભંડેરી તો ગધેડાપતિ હતા, ગધેડા જ રાખતા. એવા કોઈ કરોડોપતિ નહોતા પણ એ ગુણાતીતાનંદસ્વામીના હૃદયમાં વસેલું પાત્ર હતું. એટલે ગુણાતીતાનંદસ્વામીએ રામભંડેરીને પૂછ્યું, 'દેશકાળ તો સારા છે ને?’ ત્યારે રામ ભંડેરીએ બે હાથ જોડીને બધાની વચ્ચે કહ્યું, 'સ્વામી ! બધા દેશકાળ સારા છે પણ હૃદયના દેશકાળ સારા રાખજો. આ હૃદયના દેશકાળ સારા નહીં હોય ને બાકી બધા દેશકાળ સારા હશે તોપણ અહીંયા ઠંડક નહીં આપે.’ પછી હસતા-હસતા ગુણાતીતાનંદ સ્વામીએ એટલું જ કહ્યું, ‘માગતાં આવડ્યું.’ ત્યારે રામભંડેરીએ ગુણાતીતાનંદસ્વામીને કહ્યું, 'સ્વામી ગરીબ છું ! મારા દેશકાળની તમને ખબર છે. પણ અધિકાર લેવામાં શરમ દાખવતાં નહિ. વેચાઈ જઈશું, આ દેહમાં લોહીનું ટીપું રહેશે ત્યાં સુધી મહેનત કરીશું; પણ જે કંઈ જોઈએ તે માંગી લેજો.’ - તું મળ્યો પછી દેશકાળ શાનાં ? - તું મળ્યો એટલે હું પૂર્ણ થઈ ગયો. તારા સંબંધે હું પૂર્ણ ४. - મારે કાંઈ કરવાનું બાકી ન રહ્યું. - અમારા હૈયાનાં દેશકાળથી તું રક્ષા કરજે. આ પ્રાર્થના કરી રામભંડેરી ગુણાતીતાનંદસ્વામીને કહેવા માંગતા હતા કે, તમારામાં મનુષ્યભાવ ના આવે, ભાવફેરમાં ના જઈએ, તમારાથી અને તમારા ભકતોથી વિખૂટા ના પડીએ આટલું અમને કરી આપજો. આનું નામ પ્રીતિ કહેવાય ! આનું નામ ગમાડયું કહેવાય ! એમના આત્માનો સંબંધ એવો સરસ હતો કે ગુણાતીતાનંદસ્વામી સહજતાથી એના ઉપર અધિકાર કરી શકતા હતા. - વચનમાં વિશ્વાસ એનું નામ જ પ્રીતિ. - અણસારે સમજે એનું નામ જ પ્રીતિ. - ગમતામાં વર્તે એનું નામ જ પ્રીતિ. - સત્પુરુષનું ગમાડે એનું નામ જ પ્રીતિ. - અને પછી નિર્દોષ થઈ જવાય જ. - પણ વચનમાં જ્યાં સુધી વિશ્વાસ નહિ આવે ત્યાં સુધી બુદ્ધિયોગ નહિ આવે. - અને બુદ્ધિયોગ નહિ આવે ત્યાં સુધી સંબંધ દ્રઢ નહિ થાય. - અને સંબંધ દ્રઢ નહિ થાય ત્યાં સુધી ગમતામાં વરતાય નહિ - અને એનું ગમાડી શકશો નહિ. - તમે ગમતામાં વર્તી શકશો પછી જ અક્ષરધામનો બુદ્ધિયોગ એ મફતમાં આપી દેશે. - પછી એનું ગમશે બાકી શક્ય જ નથી. - અને એનું ગમે પછી સાધના પૂરી થઈ જાય.
❤️ 🙏 👌 👍 14

Comments