
BAS EK TU RAAJI THA
February 14, 2025 at 01:34 PM
*Happy Gunatit Priti Day*
એકવખત ગુણાતીતાનંદસ્વામીના દર્શન કરવા કલ્યાણભાઈ, વેલો સથવારો, રામભંડેરી એ બધા અંગત સેવકો દર્શન કરવા આવ્યા હતા. સમૈયૌ પૂરો થયો અને બધા હરિભક્તો દર્શનનો લાભ લઈને નીકળતા હતા.
રામભંડેરી તો ગધેડાપતિ હતા, ગધેડા જ રાખતા. એવા કોઈ કરોડોપતિ નહોતા પણ એ ગુણાતીતાનંદસ્વામીના હૃદયમાં વસેલું પાત્ર હતું.
એટલે ગુણાતીતાનંદસ્વામીએ રામભંડેરીને પૂછ્યું, 'દેશકાળ તો સારા છે ને?’
ત્યારે રામ ભંડેરીએ બે હાથ જોડીને બધાની વચ્ચે કહ્યું, 'સ્વામી ! બધા દેશકાળ સારા છે પણ હૃદયના દેશકાળ સારા રાખજો. આ હૃદયના દેશકાળ સારા નહીં હોય ને બાકી બધા દેશકાળ સારા હશે તોપણ અહીંયા ઠંડક નહીં આપે.’
પછી હસતા-હસતા ગુણાતીતાનંદ સ્વામીએ એટલું જ કહ્યું, ‘માગતાં આવડ્યું.’
ત્યારે રામભંડેરીએ ગુણાતીતાનંદસ્વામીને કહ્યું, 'સ્વામી ગરીબ છું ! મારા દેશકાળની તમને ખબર છે. પણ અધિકાર લેવામાં શરમ દાખવતાં નહિ. વેચાઈ જઈશું, આ દેહમાં લોહીનું ટીપું રહેશે ત્યાં સુધી મહેનત કરીશું; પણ જે કંઈ જોઈએ તે માંગી લેજો.’
- તું મળ્યો પછી દેશકાળ શાનાં ?
- તું મળ્યો એટલે હું પૂર્ણ થઈ ગયો. તારા સંબંધે હું પૂર્ણ ४.
- મારે કાંઈ કરવાનું બાકી ન રહ્યું.
- અમારા હૈયાનાં દેશકાળથી તું રક્ષા કરજે.
આ પ્રાર્થના કરી રામભંડેરી ગુણાતીતાનંદસ્વામીને કહેવા માંગતા હતા કે, તમારામાં મનુષ્યભાવ ના આવે, ભાવફેરમાં ના જઈએ, તમારાથી અને તમારા ભકતોથી વિખૂટા ના પડીએ આટલું અમને કરી આપજો. આનું નામ પ્રીતિ કહેવાય ! આનું નામ ગમાડયું કહેવાય !
એમના આત્માનો સંબંધ એવો સરસ હતો કે ગુણાતીતાનંદસ્વામી સહજતાથી એના ઉપર અધિકાર કરી શકતા હતા.
- વચનમાં વિશ્વાસ એનું નામ જ પ્રીતિ.
- અણસારે સમજે એનું નામ જ પ્રીતિ.
- ગમતામાં વર્તે એનું નામ જ પ્રીતિ.
- સત્પુરુષનું ગમાડે એનું નામ જ પ્રીતિ.
- અને પછી નિર્દોષ થઈ જવાય જ.
- પણ વચનમાં જ્યાં સુધી વિશ્વાસ નહિ આવે ત્યાં સુધી બુદ્ધિયોગ નહિ આવે.
- અને બુદ્ધિયોગ નહિ આવે ત્યાં સુધી સંબંધ દ્રઢ નહિ થાય.
- અને સંબંધ દ્રઢ નહિ થાય ત્યાં સુધી ગમતામાં વરતાય નહિ
- અને એનું ગમાડી શકશો નહિ.
- તમે ગમતામાં વર્તી શકશો પછી જ અક્ષરધામનો બુદ્ધિયોગ એ મફતમાં આપી દેશે.
- પછી એનું ગમશે બાકી શક્ય જ નથી.
- અને એનું ગમે પછી સાધના પૂરી થઈ જાય.
❤️
🙏
👌
👍
14