BAS EK TU RAAJI THA
BAS EK TU RAAJI THA
February 16, 2025 at 08:32 AM
https://youtu.be/4YQ6BLeBnP8 _*આધ્યાત્મિક વિવેક પ્રગટાવવા માટે શિક્ષાપત્રીની અનિવાર્યતા*_ 💕 1. _દેશને ચલાવવા બંધારણ જોઈએ. કંપની ચલાવવા બંધારણ જોઈએ._ 2. *સંપ્રદાય ચલાવવા બંધારણ જોઈએ. તે વગર Smoothness ન આવે.* ૩. _આપણને ભગ. સ્વામિનારાયણએ શિક્ષાપત્રીરૂપી બંધારણ આપ્યું._ 4. *212 શ્લોકનું, પોકેટ સાઇઝ શાસ્ત્ર.* 5. _આપણા લોકલાડીલા નેતા શ્રી સરદાર પટેલે શિક્ષાપત્રી વાંચી ને કહ્યું કે " આ શિક્ષાપત્રી પ્રમાણે કોઈપણ વ્યક્તિ જીવન જીવે તો તેને એકપણ પ્રકારની ઉપાધિ ન આવે. લૌકિક જગતની પણ નો આવે અને આધ્યાત્મિક જગતની પણ ન આવે "_ 6. _*શિક્ષાપત્રીમાં વિવેક મૂક્યો છે. માત્ર ત્રણ અક્ષરનો શબ્દ*_.✅ 7. *_કોઈ આપણને પૂછે કે સત્સંગ શા માટે કરીએ છીએ..!? તો એમને કહેવાનું કે " વિવેક " પ્રગટાવવા_*.. 8. આંધળા ને ભગવાન આંખ આપે, લંગડા ને ભગવાન પગ પણ આપે, ગરીબ માણસને લક્ષ્મી પણ આપે પણ _*વિવેક ન હોય તો તેનો ક્યાં ઉપયોગ કરવો તે ખબર ન પડે*_ _આ વિવેક પ્રગટાવવા માટે શિક્ષાપત્રી જોઈએ જ_ 9. *ભગવાન સ્વામિનારાયણએ શિક્ષાપત્રીમાં કોમન સેન્સની વાતો મૂકી. અને સંબંધ બાંધવા માટે બ્રહ્મરૂપ થવા સુધીની પણ વાતો મૂકી* 💕 ઘરને મંદિર બનાવવું હોય અને આત્મીયતા ઘરમાં પ્રગટાવવી હોય તો ક્યારેય કોઈને તુંકારે બોલશો નહીં. તુંકારે બોલો નહીં અને ગરમ થાવ નહીં તો ઘરમાં સો ટકા આત્મીયતા પ્રગટી જ જાય.. _*જે વિવેકી તે સદા સુખી*_ વિવેક વગર .. _રાજા બી દુઃખિયા, રંક બી દુઃખિયા,_ _*બીના વિવેક સબ ભેખભી દુઃખિયા*_ 💕 હૈયાને વિષે જો ભગવાન પ્રગટાવવા હોય તો વિવેક અનિવાર્ય ચીજ છે. 💕 અને આવો વિવેક માત્ર સત્સંગમાં જ મળે. એ ક્યાંય બજારમાં ન મળે. 💕 ફોકસ થવા માટે Diversion ન જોઈએ. 💕 DIVERSION માંથી હાઈવે ઉપર જવા માટે સત્સંગ અનિવાર્ય છે.. _આંખે કરીને યોગ્ય જોવાનું, જીભે કરીને યોગ્ય બોલવાનું અને ખાવાનું અને કાને કરીને યોગ્ય સાંભળવાનું.. આ વિવેક આપણને ભગવાન સ્વામિનારાયણ એ આપ્યો છે._ આ વિવેક પ્રમાણે જીવી, ગુરુહરિને અંતરથી રાજી કરી શકીએ એ જ પ્રાર્થના..💕
🌹 1

Comments