Chief Minister Of Gujarat
February 7, 2025 at 03:44 PM
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા-ભક્તિભાવ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ધ્ય અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે મહાકુંભમાં આવતા યાત્રીઓ માટે કરેલ સુવિધા-સ્વચ્છતાની વ્યવસ્થાઓની પ્રશંસા કરવાની સાથોસાથ યાત્રિકોને કુંભ સ્નાન માટે કરવામાં આવેલ વ્યવસ્થાને ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ ગણાવી હતી.
🙏
❤️
👍
😂
12