
Chief Minister Of Gujarat
February 10, 2025 at 03:43 PM
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતેથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 40 હજારથી વધારે શાળાના 61.50 લાખથી વધુ વિધાર્થીઓએ માનનીય વડાપ્રધાનશ્રીના વિદ્યાર્થીઓમાં નવો આત્મવિશ્વાસ ભરતા આ કાર્યક્રમને નિહાળ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમને પરીક્ષાના તણાવને દૂર કરનારું માધ્યમ ગણાવતા સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પરીક્ષામાં તણાવ મુક્ત રહેવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા વિદ્યાર્થીઓ માટે લિખિત 'એક્ઝામ વોરિયર' પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરતા મુખ્યમંત્રીશ્રીએ યુવા પેઢીના મહત્વપૂર્ણ યોગદાન દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
#ppc2025
#examwarriors
#parikshapecharcha2025
🙏
❤️
👍
17