Bhupendra Patel
February 26, 2025 at 04:47 AM
વિકાસ અને વિરાસતના સંગમ સમા અમદાવાદ મહાનગરના સ્થાપના દિવસની સૌ નગરજનોને હાર્દિક શુભકામના.
આઝાદી પહેલા અમદાવાદનો સાબરમતી આશ્રમ સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક હતો, અને આજના અમૃતકાળમાં અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ વિકસિત ભારતનું પ્રતીક છે.
વાણિજ્યિક કુનેહ માટે જાણીતા અમદાવાદના લોકોએ સ્થાપત્ય અને સંસ્કૃતિની વિરાસતને પણ અદ્ભુત રીતે જાળવી રાખી છે.
'વર્લ્ડ હેરિટેજ સિટી'ની ઓળખ પ્રાપ્ત કરીને અમદાવાદ સમગ્ર ભારતની શાન બન્યું છે
આવો, આપણે સૌ અમદાવાદની આ અનોખી ઓળખને હંમેશા જાળવી રાખવા તથા શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને રળિયામણું બનાવવા સંકલ્પબદ્ધ બનીએ.

🙏
👍
❤️
👌
20