🕋(( lSLAMIC ❤️ STATUS  ♥️ CHANNEL
🕋(( lSLAMIC ❤️ STATUS ♥️ CHANNEL
February 22, 2025 at 05:36 AM
જાખાવાળો માટે વિચાર્યા જેવું                   السلام علیک ورحمتہ اللہ وبرکاتہ જે આપણા ગામ જાખા માં તા.10/2/2025 ના દિવસે જે જલસો થયો તેમાં તકમીલે કુરઆન માટે જલસો રાખવામાં આવ્યો હતો તે જલસામાં મર્દ હઝરાત પણ પહોંચ્યા અને મસ્તુરાત પણ પહોંચી.  શું આ જલસામાં જઈને મસ્તુરાત ને કઈ ફાયદો થયો કે નહીં આપણે વિચાર્યા જેવું છે હું આપણા ગામની ભલાઈ માટે એક હકીકત બયાન કરવા માંગું છું કે આપણા ગામમાં જે જલસો થયો તેને લઈને અમુક વાતો વિચાર્યા જેવી છે (૧) આટલા વર્ષો થી જલસો આપણી ગામની મસ્જિદમાં થતો હતો તે જલસા ને બહાર મેદાનમાં કેમ કરવાની જરૂરત પડી શું મસ્જિદ નાની પડતી હતી અગર મસ્જિદ નાની પડતી હોય તો આ વાત સમજમાં આવે એમ નહીં. કેમ કે આપણી મસ્જિદ બહુ મોટી છે આપણા ગામના માણસો આરામથી આપણી મસ્જિદમાં આવી જાય. યા મસ્જિદની હુરમતી થતી હતી તો એવું કામજ ના કરાય. પરંતુ મસ્જિદના બાહર મેદાનમાં જલસો રાખવાનું કારણ કે આપની મસ્તુરાત પણ આવી જાય.  તો આ મસ્તૂરાત ને આપણા જલસામાં બોલાવીને શું ફાયદો થયો? ના તો મર્દ ના હુકુક અને નહી તો પરદાણા વિશે ના અવલાદના વિશે ના મસ્તુરાત ના મસલા મસાઇલ ના વિશે કોઈ વાત કરવામાં આવી.  તો એમનો શું ફાયદો થયો?       ખાલી એમને આ પ્રોગ્રામ જોવા માટે જ બોલાવ્યા હતા તો આમાં બે પરદગી નથી થતી કારણ કે બીજા આદમી તો મસતુરાતને નતા જોઈ શકતા પણ જે સ્ટેજ પર બેઠા હતા એ મસ્તુરાત ને જોઈ શકતા હતા અને મસ્તુરાન પણ તેમને જોઈ શકતી હતી. તો શું આ મસ્તુરાતના ભાઈ યા બાપ કે કોઈ એમનો ઘરનો માણસ એ સ્ટેજ ઉપર બેઠો હતો કે જેનાથી બે પરદગી નથી થતી મર્દ ઓરત ને જોવે કે ઔરત મર્દ ને જોવે બંને બાજુથી બે પરદગી બદનજરી થાયછે.  અને મેસર ગામમાં આપની મસ્તુરાત ને મોકલવા માટે અને જવા માટે મુસ્તકીલ એલાન કરવું શું આ મુનાસિબછે ત્યાં મેસરમાં જઈને બે પરદગી નહીં થાય અને બદ નજરી નહીં થાય તો શું આવી રીતે હર ગામમાં જલસા થશે અને આપની ગામની મસ્તુરાત ને હર જગા પર હર ગામમાં હર જલસા પર જવા માટે કહેવું પડશે? અને બીજી વાત કે જ્યારે ઈદના દિવસે મસ્તુરાત મહેલ્લામાં જમા થાય યા કોઈ હજમાં જતું હોય ત્યારે જમા થાય તો આપના અમુક લોકોને પરદો યાદ આવે છે તો શું એ લોકો જલસા ના દિવસે સુઈ ગયા હતા આ વિચાર્યા જેવું છે અને જ્યારે મસ્તુરાતની જમાત નીકાળવી હોય ત્યારે અમુક લોકો કહે છે કે ભાઈ સાથે યા બાપ સાથે યા આમના સાથે યા તેમના સાથે નહીં ચાલે. અને આવીરીતે મેસર માં મસ્તુરાત ટેક્ટર ભરી ભરી ને જતી હતી ત્યારે કોઈ બોલ્યુ નહિ.  એની જગાહ  જો હમણાં કોઈ બીજી જગાહો પર આવી રીતે ટેકટર કે ગાડી ભરી ને ફરવા જતી હોત  તો કેટલાંક માણસો બોલવા વાળા હોત શું એ લોકો જલસા ના દિવસે સૂઈ ગયા હતા.  નહીં... તે લોકો સુઈ નતા ગયા પરંતુ સ્ટેજ ઉપર બેઠા બેઠા જોઈ રહ્યા હતા. શું ખાલી મસ્તુરાતને પૈસા આપવા માટે જ બોલાવી હતી.      આ વિચાર્યા જેવું છે (૨) અને આ જલસામાં  વીડીયો અને ફોટા પાડવાની કોઈને મના નથી કરી. વિડીયો કરવા ફોટો પાડવા અને ફોટા ખેચવા આ બધું શું જાઇઝ છે કેટલીક મસ્તુરાત પોતાના પર્સનલ મોબાઈલ લઈને ફોટા પાડ્યા છે અને વિડિયો કર્યા છે અને અમુક છોકરાઓના ફોટા પણ એમના મોબાઈલમાં છે વિડીયો કરવા અને ફોટા પાડવા ના બારા માં હદીસો આપણા સામે નથી. અને એનો શું ગુનો થાય છે તે પણ આપણે બધા જાણીએ છીએ. તે છતાં પણ કોઈ ફરક નહીં પડતો આપનને?             આ વિચાર્યા જેવું છે (૩) જલસામાં આવવા માટે મુસ્તકીલ દાવત ચલાવવી અને તેમાં ખાવા પીવાનું રાખવું અને ચંદો કરવો તેના માટે. આ બધું કરવું મુનાસીબ નથી બલ્કે આ બિદઅત થઈ જાય છે અને બિદઅત ન થતી હોય તો પણ કાલે જઈને આ એક રસમો રિવાજ થવાની શક્યતા તો ખરી દારુલઉલુમ દેવબંદ ના ફતવામાં લખેલું છે કે ખતમે બુખારી યા તકમીલે કૂરઆન વખત જલસો રાખીને તેમાં ગુલુ કરવું અને જરૂરતથી વધારે કરવું.  આ એકતરાની બિદઅત છે શું આપણા જલસામાં જરૂરત થી વધારે કંઈ હતું.  આ વિચાર્યા જેવું છે મુફ્તી તકી ઉસ્માની સાહબ( مفتی تقی عثمانی صاحب) એમનું કહેવું છે કે આ જે જલસા ની રસમો રિવાજ મહેલ્લા દર મહેલ્લા ગામ દર ગામમાં જે થઈ રહી છે એનાથી મને ડર લાગે છે કે કાલે જઈને આ એકતરાની બિદઅત નું રૂખ ના લઈ લે યાં બિદઅત ના બની જાય . એમનું રેકોર્ડ બયાન પણ છે આ સાલ કેટલાક મોટા મોટા જલસા થયા પાકિસ્તાનમાં અને હિન્દુસ્તાનમાં પણ કોઈ મોટા મદ્રસા માં આવા પ્રોગ્રામ જે આપણા ગામમાં હતા એવા જોવા નહીં મળ્યાં. અને એ પણ વિચાર્યા જેવું છે કે આપના ગામના આજુબાજુ જેવી રીતે કે અમરપુરા કોઈટા ભિલવન અને વદાણી આ બધા ગામમાં પણ છોકરા હાફિઝ થાય છે અને ત્યાં પણ પ્રોગ્રામ થાય છે  પણ આવી રીતે પ્રોગ્રામ કરવામાં આવતા નથી જે આપણા ગામમાં કરવામાં આવ્યો. આપણ લોકોને જોઈને એ લોકો પણ કરવા માંગશે અને તે છતાં પણ આ બધા ગામડાઓમાં જલસા આવી રીતે થતા હોય તો આપણે બધા ની જિમ્મેદારી છે કે તેને રોકવું અને સાદગી ના સાથે કરાવવા. તો આપણા ગામમાં શું થઈ ગયું છે કે આપને આવા પ્રોગ્રામ કરવાની જરૂરત પડે છે (૪) હમણાં બે ત્રણ મહિના પેહલા આપણી ગામ ની મસ્જિદમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેને મુસાબકો કહેવામાં આવે છે એ મુસાબકાની આપના ગામમાં શું જરૂરત પડી કે મુસાબકો કરવો પડ્યો. મુસાબકો કોને કહેવાય. કે એક મદરસા માં ત્રણ ચાર થી વધારે હિફઝ ક્લાસ હોય તે બધા છોકરાઓને ભેગા કરીને કોણ પહેલો નંબર લાવે છે એ જોવા માટે અને તેમની હિમ્મતઅફઝાઇ માટે રાખવામાં આવે છે પણ આપણા ગામમાં તો એકજ હિફઝ ક્લાસ છે અને આપની ગામ ની હિફઝ ક્લાસ માં સાલમાં એક બે વખત તો ઈમ્તિહાન થતું જ હોય છે તો પછી આ મુસાબકો કરવાનો શું ફાયદો અને મુસાબકામાં પણ જલસા જેવા પ્રોગ્રામ રાખવામાં આવે છે.  આને મુસાબકો કહેવાય? તે વિચાર્યા જેવું છે. કે ખાલી વસ્તીને બોલાવીને બસ દિલની ખવાહિશાત અને વાહ વાહ કરવા અને મસ્તુરાત ની અફરા તફરી કરવા માટે આવા પ્રોગ્રામ રાખવામાં આવે છે. તો આ શરીઅત અને દિન ના નામ પર આ બધું શું થઈ રહ્યું છે એ પણ વિચાર્યા જેવું છે (૫) આપણા ગામમાં કેટલાક વર્ષોથી મસ્જિદ અને મદ્રસા ના ખાદીમો ના પગાર પૂરા પડતા નથી મસ્જિદ અને મદ્રસા અને કબ્રસ્તાનમાં કે અમુક આવી જગ્યાઓ પર કંઈ કામ કરાવું હોય તો તેના ચંદા માટે ફાફા થઈ જાય છે તે છતાં પણ આપના ગામમાં સાલમાં બે ત્રણ વખત આવા પ્રોગ્રામ રાખીને આટલો ખર્ચો થાય એ કેવી રીતે સમજવું તે પણ વિચાર્યા જેવું છે અને આ ખર્ચા કરો એનાથી સારું છે કે આપણે ગામવાળા બધા ભેગા થઈને ફલસતીન અને ગઝઝા ના લોકોની મદદ કરીએ. આપણા ગામમાં ઘણા બધા એવા લોકો છે જે કરજા માં અને બીમારીઓમાં અને પરેશાની માં અને મજબૂરીઓમાં છે આપણે તે લોકોની મદદ કરીએ.એ કદી આપણે વિચાર્યું છે કે નહીં. એ પણ વિચાર્યા જેવું છે (૬) આપને આ પ્રોગ્રામો પાછળ જેટલી મહેનતો કરો છો એટલી મહેનત ઉર્દુ નાજરા કુરઆન પડવા વાળા નાના છોકરાઓ પાછળ પણ મહેનત કરવાની છે કારણ કે આપણા ગામની પઢાઈ વધારે કમજોર છે જ્યાં પણ મોટા મદ્રસા મા દાખલા કરાવવા જાવ ત્યારે આપણા છોકરાઓ નથી તો બરાબર નાજરા પડી શકતા નહીં તો ઉર્દુ પડી શકતા તે છોકરાઓને ઈમ્તિહાનમાં નંબર આવે તો એમને પણ પૈસા આપવાના અને ઇનામ આપવું જોઈએ બધા પૈસા આપને આ જલસામાં નથી આપવાના.  ગયા વખતે એ નાના છોકરાઓને ઈમ્તિહાનમાં નંબર આવેલા છોકરાઓને ઈનામ આપવા માટે ફંડ નતો ફાફા થઈ ગયા હતા વધારે તો આપને એમના ઉપર મહેનત કરવાની જરૂરત છે.   આ પણ વિચાર્યા જેવું છે (૭) આપને જેવી રીતે શાદીઓમાં સાદગી કરો છો એવી જ રીતે હવે જલસાઓમાં પણ સાદગી કરવી જોઈએ કારણ કે અમુક વસ્તુ બે જરૂરત હોય છે કોઈ ફાયદો થતો નથી આપણે વાહ વાહ કરવાના ચક્કરમાં બહુ આગળ નીકળી ગયા છીએ બિદઅત નહીં કહેવાય પણ બિદઅત ના કિનારા સુધી તો પહોંચી ગયા છીએ.  બસ ખાલી એક બે કિરાઅત અને એક બે નજમ રાખીને  બચ્ચોની તકમીલે કુરઆન કરાવી દેવામાં આવે અને એના પછી મહેમાને ખુસુસી આપણા સામે થોડી દિનની વાત રાખે અને દુઆ કરાવી દે એવી રીતે મસ્જિદમાં સાદગીના સાથે જલસો કરવો જોઈએ. આ ખવડાવવું પીવડાવવું બંધ કરી દો આપને બધા  મુમન સમાંજમાં છીએ આખી દુનિયામાં અને આખા હિન્દુસ્તાનમાં આપની કોમનું દિન ના નામ પર બહુ ઈજ્જત છે આપણે તો આવી બધી જે આપના અકાબીરે નથી કર્યું તેના આજુબાજુ પણ ન રહીએ કારણ કે આપની મુમન સમાજ થી લોકોને ઘણી ઉમીદો છે અને સારા ગુમાન પણ છે કે આમના અંદર બહુ દિંદારીછે આપણા બાપદાદા આવી ખોટી ખોટી રસમો રિવાજમાં હતા.  ત્યારે  મોલાના નઝીરમિયા એ આપણ લોકોને આવી બધી રસમોરિવાજથી દૂર રાખ્યા.  ફરીથી આપને એ તરફ જવા માગી રહ્યા છીએ આ પણ જરા વિચાર્યા જેવું છે. કોઇ પણ બિદઅત આવી જ રીતે જન્મ લે છે કે શરૂ શરૂમાં તો આપને દિન નું કામ સમજીને કરવા લાગીઇ છે પણ આગળ જઈને આપની આવલાદ આને તુલ આપે છે અને આમાં નવી નવી વસ્તુઓ પણ પૈદા થઈ જાય છે ત્યારબાદ આ બિદઅત થઈ જાય છે.     આ વિચાર્યા જેવું છે (૮) જે જલસો આપણા ગામમાં થયો તેમાં મહેમાનેખૂસુસી મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબને આપની મુમન સમાજ માટે અમુક વાતો કીધી હતી અને આપણી કોમની તારીફ પણ કરી હતી.    એમાં એક વાત એ કહિતી કે જ્યારે પણ આ મુમન મુસમાજ રસમો રિવાજમાં પડી ત્યારે ત્યારે અલ્લાહ પાક ને એક એવો બંદો ઊભો કર્યો કે એ આ કોમને રસમો રિવાજથી પાક કરી. .    જ્યારે પણ આ કોમ રસમો રિવાજમાં જતી તો કોઈ અલ્લાહ વલી પૈદા થતા અને આ કોમને સહી લાઈન પર લાવતા હતા. તો એ બધા અલ્લાહ વલી જેવી રીતે કે #મોલાના કબીરુદ્દીન #પીરમશાઇખ #મોલાના નઝીરમીયા અને  #મોલાના ઉમર સાહબ પાલનપુરી   આ  બધા અલ્લાહવલી અલ્લાહ ને પ્યારા થઈ ગયા છે તો હવે આ મુમન સમાજને સહી લાઈન પર રાખવી એ કોની જીમેદારી છે એ આપના ગામના તમામ લોકો ની જીમ્મેદારી છે અને આપના ગામના ઉલમાએકીરામ સારી રીતે જાણે છે કે કેવી રીતે જલસો કરવો અને કેવી રીતે જલસો નહીંકરવો અને કેવા હાલાત માં કરવો જોઈએ.    આપના ગામના આજુબાજુ જે ગામડા છે જેમાં હિફઝ ક્લાસ આપણાથી પણ વધારે ટાઈમ થી ચાલુ છે અને એ ગામડા વાળા પૈસા ટકે આપના થી સારી કન્ડિશનમાં પણ છે. તે છતાં પણ તે ગામડાઓમાં આવા પ્રોગ્રામ નથી થતા કે જેમાં મસ્તુરાને બોલાવવાની અને ખવડાવવાનું અને પીવડાવવાનું રાખવું કારણકે એમને ખબર છે કે આ આજ નહીં તો ચાર પાંચ વર્ષ પછી એકતરાહ ની રસમો રિવાજ બની જશે અને ફિતના ની જડ થશે.  તો આપણા ગામના ઉલમાએકિરામ અને કમેટી પણ થોડું આના પર ધ્યાન આપે.  આ પણ વિચાર્યા જેવું છે #### આ બધી વાતો ખાલી વિચારવા માટે જ લખી છે લડવા કે લડાવવા માટે નહીં લખી મહેરબાની કરીને કોઈ એકબીજાને આમતેમ પેલું એવું કહેવું નહીં. અને દલાઇલ બાઝી નહીં કરવી કે આ જગાહ પર થાય છે પેલી જગાહ પર થાય છે થવાદો જ્યાં પણ થતો હોય ત્યાં બસ ખાલી આપણ ને વિચારવા નું છે કે શું આ બરોબર થઈ રહ્યું છે કે નહીં. તો પછી આપને આવેથી થી શું કરવું જોઈએ સાદગીના સાથે જલસા કરવા જોઈએ કે પછી ખાઈ પીઈ ને જલસા હી જલસા જલસા હી જલસા  કરવાના....    લી. સ્ટુડન્ટ ઑફ ધ દીની વ દુન્યવી તાલીમ         તા.12/2/2025

Comments