
Shikshan Deep
February 8, 2025 at 03:33 AM
કનૈયાલાલ મુનશી નિર્વાણદિન
કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦ ડિસેમ્બર ૧૮૮૭ - ૮
ફેબ્રુઆરી ૧૯૭૧) (ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) જેઓ ક. મા.
મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની,
રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને
શિક્ષણશાસ્ત્રી હતા.
• તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને
રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ
અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા
ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. તેમનો જન્મ 30
ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપી
બાને ત્યાં થયો હતો.
• તેમનો શાળાકીય અભ્યાસ આર. એસ. દલાલ હાઇસ્કૂલમાં
થયો હતો. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને
૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના
શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.
• મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતિય, મહાત્મા ગાંધી,
સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઈ પણ તેમના આદર્શ હતા.
૧૯૦૫માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક
જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી. અને ૧૯૦૭માં એલિયટ
પ્રાઈઝ સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૧૦માં તેમણે
એલ.એલ.બી.ની પરિક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૧૩માં તેમણે
મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો.
https://youtu.be/_6S15rxYh0M?si=IkgZxPgTo9hcMD57
🔰 Follow For more 👇
✅ WhatsApp Group : 👉 https://chat.whatsapp.com/GXeBIwiqcFr1j6jJJqHzyK
✅ Telegram : 👉 https://t.me/AaRuEduzone
✅ WhatsApp Channel : 👉 https://whatsapp.com/channel/0029VazjiohBA1f404DLJm1r