
BJP Surat Mahanagar
March 1, 2025 at 10:47 AM
જનભાગીદારીથી જળસંચય
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ના શુભહસ્તે આજે ભાવનગર ખાતે જળસંચય અભિયાન અંતર્ગત બોર રિચાર્જની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન થયું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ વરસાદી પાણીને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય તેમજ બોરથી થતા ફાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.
આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, જિલ્લા પ્રમુખ શ્રી આર. સી. મકવાણા, મહાનગરના અધ્યક્ષ શ્રી અભયભાઈ ચૌહાણ સહિત જિલ્લા અને મહાનગરના હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.