📰 I Gujarat News 🗞️
📰 I Gujarat News 🗞️
June 2, 2025 at 02:35 PM
લુણાવાડા અને સંતરામપુરમાં બકરી ઈદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ લુણાવાડા: આગામી બકરી ઈદના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ આજે લુણાવાડા ટાઉન અને સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બકરી ઈદના તહેવાર દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. સમુદાય વચ્ચે સદભાવ જળવાઈ રહે તથા કોઈ પણ પ્રકારની અફવાઓથી બચવા માટે લોકજાગૃતિ અને સહકારની ભાવનાને આગળ વધારવા અંગે ભાર મૂકવામાં આવ્યો. પોલીસ અને પ્રશાસન દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ તેમજ ટ્રાફિકના સંચાલન અંગે પણ ચર્ચા કરવામાં આવી. તમામ આગેવાનો દ્વારા તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવાની ખાતરી આપવામાં આવી. આ બેઠકના અંતે તમામ ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ એકમતથી શાંતિ અને એકતા જાળવવા માટે સહયોગ આપવાનો સંકલ્પ લીધો. 📰 આઈ ગુજરાત ન્યુઝ 🗞️ #igujaratnews

Comments