Bhupendra Patel
June 9, 2025 at 07:07 AM
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે નિર્માણ પામેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી પૂજ્ય સંતોનું પાવન સાનિધ્ય અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું.
શિક્ષણની સાથે સંસ્કારની જ્યોત પ્રગટાવતા આધુનિક સુવિધાઓથી સભર આ સંકુલમાં બાળકો ગુણવત્તાસભર શિક્ષણ તો મેળવશે જ, સાથોસાથ જીવનના નૈતિક મૂલ્યોના પાઠ પણ ભણશે.
ગુરુકુળ એ આપણી સનાતન પરંપરાની ઉત્તમ ધરોહર છે.. ગુરુકુળ એ શિક્ષણની સાથે ધર્મ, સંસ્કૃતિ, શિસ્ત અને આધ્યાત્મિક જીવનશૈલીના સંસ્કાર પ્રાપ્ત કરવાના કેન્દ્રો છે.
આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરતા માતૃભાષામાં શિક્ષણ, ટેકનિકલ વિષયોનું જ્ઞાન અને મૂલ્ય-આધારિત શિક્ષણ સાથેની નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે.
આ ગુરુકુળમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ સમાજના ઉત્કર્ષમાં અને વિકસિત ભારત - વિકસિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપશે તેવો વિશ્વાસ આ પ્રસંગે વ્યક્ત કર્યો.
🙏
👍
❤️
13