Bhupendra Patel
June 11, 2025 at 11:02 AM
પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તથા વન વિભાગ - પંચમહાલના સંયુક્ત ઉપક્રમે પૂજ્ય શ્રી નારાયણ બાપુના આશ્રમ પાસે આવેલ ‘શ્રી વિરાટ નારાયણ વન’માં પૂજ્ય શ્રી દાદાગુરુની પાવન ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું.
ટ્રસ્ટ દ્વારા “એક વૃક્ષ નારાયણ બાપુજી કે નામ” તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત “એક પેડ માઁ કે નામ” અભિયાન હેઠળ 25,000 વૃક્ષોના રોપણનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ વિરાટ નારાયણ વનમાં કુલ 5 લાખ વૃક્ષો વાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, જળસંચય સહિતના 9 સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે, જેને જીવનમાં વણી લેવા આ પ્રસંગે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો.
પ્રદેશને હરિયાળો બનાવવા પર્યાવરણ સેવાના યજ્ઞરૂપી આ પહેલ બદલ હું સૌ ટ્રસ્ટીઓ અને નારાયણ ભક્તોને અભિનંદન પાઠવું છું. વૃક્ષારોપણના કાર્યને પૂરી ઊર્જાથી આગળ વધારવા બદલ વન વિભાગને પણ અભિનંદન પાઠવું છું.
ટ્રસ્ટ દ્વારા “જનસેવા એ જ પ્રભુસેવા”ના મંત્ર સાથે દર્દીઓના વિનામૂલ્યે આંખના ઓપરેશન સહિતના વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, જે સરાહનીય છે.
#ekpedmaakenaam
🙏
👍
❤️
❤
17