વાવ થરાદ જિલ્લો🪷
June 9, 2025 at 01:00 AM
● તોરણગઢ પર વિજય તોરણ બાંધવું એટલે સ્વરાજ્ય સ્થાપનાનું એ પહેલું સફળ સોપાન હતું.
● ત્યારબાદ વીરોની સેનાએ અનેકો પરાક્રમો કર્યા.
● ધીરે ધીરે અડોશ-પડોશના બધા દુશ્મનોના અભિમાનનું દમન કરતાં કરતાં, જુઓને અફઝલખાનથી લઈને બહેલોલખાન સુધી બીજાપુરના સરદારોને પરાસ્ત કર્યા.
● ગિરિકંદરાના છુટકપુટક યુદ્ધમાં જ નહીં, પરંતુ મેદાની સંઘર્ષોમાં દુશ્મનોની લાખોની સેનાનો ખાત્મો કર્યો.
● દિલ્હીના શાઈસ્તખાનથી લઈ દિલેરખાન સુધીના નામી સિપાહસાલેરોને કારમી હાર આપી.
● મુગલશાહીના અત્યંત ક્રુર કપટી છળભેદમાં હોંશિયાર ઔરંગઝેબને પણ નિરાશ થઈ હાથ પર હાથ મૂકી મૂકદર્શક બની રહેવું પડ્યું.
● પશ્ચિમી તટ પર એકત્રિત થયેલ અંગ્રેજ, પોર્ટુગીઝ વગેરેને પણ સ્વાતંત્ર્ય-પ્રેરિત પ્રતિકાર-શક્તિના તાબે થવું પડ્યું. તેમના રાજકીય ષડયંત્રો તેમજ ધાર્મિક આક્રમણ પર પ્રબળ પ્રતિબંધ આવી ગયો.
● ભાગાનગરનો કુતુબશાહ પણ સ્વરાજ્યને વેરા આપવા લાગ્યો.
`આ કેવી રીતે થયું❓`
શિવાજી સામે તે સમયે આંખો સામે કોઈ આદર્શ ન હોતો, તો પણ શૂન્યથી સ્વરાજ્યની નવસૃષ્ટિ થઈ....
આ પ્રાપ્ત કર્યું....
૧. સમાજના પ્રત્યેક ઘટકમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જગાવી,
૨. અઢાર પાઘડી પહેરવાવાળા સમાજને સમરસતાના મંત્રથી એકત્રિત કરી, સંગઠિત કરી,
૩. જૂનાં સામાજિક બંધનોને તોડી,
૪. સ્વરાજ્યની સેવા એ જ ઈશ્વરીય કાર્ય-ધર્મકાર્ય માની,
૫. સ્વજનો સાથે આત્મીય અને શત્રુઓ સાથે शठं प्रति शाठ्यं નો વ્યવહાર કરી,
૬. અભિનવ યુદ્ધનીતિ..પ્રથમ આઘાત, દરેક વખતે નવો પ્રયોગ, ગનિમી કાવા..નો ઉપયોગ કરી,
૭. 'સ્વ'-ભાષા, 'સ્વ'-વ્યવસ્થા, 'સ્વ'-રાજકાજ, 'સ્વ'-સંસ્કૃતિ, 'સ્વ'-ધર્મ થકી સ્વરાજ્યનિષ્ઠા નિર્માણ કરી,
૮. કઠોર દંડ, સગાવાદને અવકાશ નહી , અનુશાસન, નિર્લેપભાવ, ગુણોનો સત્કાર થકી, વગેરે વગેરે સત્કાર્યોથી.
🔸પૂર્વ યોજના, પૂર્ણ યોજના, પરિપૂર્ણ યોજના સફળ થતી ગઈ અને મંગલ દિવસ *જેઠ સુદ તેરસ* ની સ્વર્ણિમ પ્રભાત આવી ગઈ.
🔸શિવાજી મહારાજનું પંચામૃત-શુદ્ધોદક સ્નાન કરાવી, તેઓશ્રીનો પવિત્ર નદીઓના જળથી અભિષેક થયો. વેદ મંત્રોચ્ચાર થયા, શિવાજી સિંહાસન પર આરૂઢ થયા. કુમકુમ તિલક થયું. જ્ઞાનમેરૂ ગંગાભટ્ટે રત્નજડિત રાજમુકુટ પહેરાવ્યો.
*શિવાજી મહારાજ હવે સિંહાસનાધીશ્વર છત્રપતિ બન્યા*.
*કેવું દ્રશ્ય❗❗*...🤔
એક સમય હતો હિન્દુ સરદારો વિધર્મી શાસકોના સુબેદાર બની, પોતાના જ હિન્દુ બાંધવોનું રક્ત વહેવડાવી, વિધર્મી શાસકોને મજબૂત કરતા હતા.
જ્યારે આજે.. વિધર્મી તાકાતો અમૂલ્ય વસ્ત્રાલંકાર, સુવર્ણ અને રત્ન આભૂષણો શિવાજીને અર્પિત કરી, નત મસ્તક થતા હતા. ભારતનો પુત્રવત સમાજ ગૌરાંન્વિત હતો.
દિલ્હીશ્વરોવા જગદીશ્વરોવાનો કુભાવ-અજ્ઞાન નષ્ટ થયું અને *હિન્દુસ્થાનમાં હિન્દુ સિંહાસન પર ફરી હિન્દુવીર છત્રપતિ શિવાજી મહારાજ આરૂઢ થયા.*
● `જે સ્વપ્નમાં જોયું, સાકાર થયું. ધર્મ સંકટ, પાપી, દેવદ્વેષી દૃષ્ટોનો સંહાર થયો.`
*આનંદ વન ભવન નિર્માણ થયું.*
● `દેશ-ધર્મનો ઉદ્ધાર થયો. તીર્થક્ષેત્ર પાવન થયાં. સ્નાન-સંધ્યાની અનુકૂળતા થઈ.`
*આનંદ વન ભવન નિર્માણ થયું.*
● `શુદ્ધ આધ્યાત્મ તેજ પ્રગટ થયું. મઠ-મંદિર ઉર્જિત થયાં. દેવ-દેવતા પૂજિત થયા.`
*આનંદ વન ભવન નિર્માણ થયું.*
● `ગીત, સંગીત, વાદ્ય ગુંજી ઉઠ્યાં. ઈચ્છિત બધા સાધ્ય પૂર્ણ થયા.`
*આનંદ વન ભવન નિર્માણ થયું.*
🕺🏻 *હિન્દવી સ્વરાજ્ય નિર્માતા હિન્દુવીરોની જય*🚩.
🕺🏻 *યશવંત, કીર્તિવંત, પુણ્યવંત, નીતિવંત, વિવેકવંત છત્રપતિ શિવાજી મહારાજની જય*🚩.
*હિન્દવી સ્વરાજ્યની જય🚩*
`વિવિધ વાતો જાણવા`.. https://whatsapp.com/channel/0029Va57VG63LdQSSaDgqG1e
ચેનલને ફોલો કરશોજી.
#hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज
#shivaji_maharaj
#છત્રપતિ_શિવાજી_મહારાજ
#જય_ભવાની_જય_શિવાજી
🙏
1