વાવ થરાદ જિલ્લો🪷
June 13, 2025 at 02:56 AM
*ગણેશ દામોદર સાવરકર*
જન્મ : ૧૩ જૂન ૧૮૮૯
● વતન - ભગૂર,નાસિક,મહારાષ્ટ્ર
● વીર વિનાયક દામોદર સાવરકરના તેવોશ્રી મોટાભાઈ.
● વિનાયક દામોદર ઉચ્ચ અભ્યાસાર્થે લંડન જતાં, તેમના દ્વારા ચાલતી ક્રાંતિકારી સંસ્થા *મિત્રમેળા* ની જવાબદારી ગણેશ પર આવી.
● મિત્રમેળા સમય જતાં પ્રસિદ્ધ *અભિનવ ભારત* માં પરિણમી.
● આ સંસ્થા અંગ્રેજોને કણાની જેમ ખૂંચતી હતી કેમકે તેમાંથી રાષ્ટ્ર માટે જીવન ન્યોચ્છાવર કરનાર યુવાનો નિર્માણ થતા હતા.
● ગણેશ સાવરકરની રાષ્ટ્રત્વ યુક્ત એક કવિતા મરાઠા દૈનિકમાં પ્રસિદ્ધ થાય છે.
● આ કવિતા *બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ભાવના* ભડકાવે છે, તેવા આરોપ હેઠળ કલેકટર જૈક્શને તેમને *આજીવન કાળાપાણીની સજા* આપી.
● કાળાપાણીની સજા અંતર્ગત રોજ તેમને ઘાણીએ જોતરાઈ ૩૦ પાઉન્ડ તેલ કાઢવું પડતું હતું, જો તે પૂર્ણ ન થાય તો ૧૫ ચાબુકના ફટકા ખાવા પડતા. આવી અનેક યાતનાઓ તેમને સહન કરી.
● જેલમાં તેઓ કવિતાઓ પણ લખતા રહ્યા.
● બે વર્ષ બાદ વિનાયક સાવરકર પણ આ જ જેલમાં આજીવન કાળાપાણીની સજા ભોગવવા આવે છે. તેમની કોટડી ગણેશની કોટડી પાસે હોવા છતાં કેટલાય દિવસો સુધી બંને ભાઈઓને એકબીજાની ખબર સુદ્ધાં પડતી નથી.
● ચૌદ વર્ષ અંદામાન જેલમાં યાતનાઓ ભોગવતાં ગણેશ સાવરકરની તબિયત કથળે છે, મોત નજીક દેખાય છે.
● આ વાતની જાણ દેશવાસીઓને થતાં અંગ્રેજો વિરુદ્ધ મોટું આંદોલન નિર્માણ થાય છે.
● ગણેશ સાવરકર બચે તેમ નથી એવું લાગતાં સરકાર તેમને મુક્ત કરે છે.
● નાનાભાઈ ડૉ. નારાયણ સાવરકરની અથક સેવાશૂશ્રુષાથી ગણેશ સાવરકર મૃત્યુના મુખમાંથી પરત ફરે છે.
● સ્વાધીન ભારત થાય તેના એક વર્ષ પહેલાં જ ૧૬ જૂન ૧૯૪૬ના રોજ તેઓશ્રીનું નિધન થતાં માતૃભૂમિને સ્વતંત્ર જોવાની તેમની ઈચ્છા અધૂરી રહી.
🟠 દેશ માટે સમર્પિત શ્રી ગણેશ સાવરકરજીના જન્મદિવસે સૌને હાર્દિક અભિવાદન.🙏
આમ, અનેક ક્રાંતિવીરોના સમર્પણથી દેશ સ્વાધીન થયો.
*ક્રાંતિવીરના જીવનને જાણવા*....
https://whatsapp.com/channel/0029Va57VG63LdQSSaDgqG1e ..વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
🙏
1