વાવ થરાદ જિલ્લો🪷
June 13, 2025 at 02:56 AM
*ગણેશ દામોદર સાવરકર* જન્મ : ૧૩ જૂન ૧૮૮૯ ● વતન - ભગૂર,નાસિક,મહારાષ્ટ્ર ● વીર વિનાયક દામોદર સાવરકરના તેવોશ્રી મોટાભાઈ. ● વિનાયક દામોદર ઉચ્ચ અભ્યાસાર્થે લંડન જતાં, તેમના દ્વારા ચાલતી ક્રાંતિકારી સંસ્થા *મિત્રમેળા* ની જવાબદારી ગણેશ પર આવી. ● મિત્રમેળા સમય જતાં પ્રસિદ્ધ *અભિનવ ભારત* માં પરિણમી. ● આ સંસ્થા અંગ્રેજોને કણાની જેમ ખૂંચતી હતી કેમકે તેમાંથી રાષ્ટ્ર માટે જીવન ન્યોચ્છાવર કરનાર યુવાનો નિર્માણ થતા હતા. ● ગણેશ સાવરકરની રાષ્ટ્રત્વ યુક્ત એક કવિતા મરાઠા દૈનિકમાં પ્રસિદ્ધ થાય છે. ● આ કવિતા *બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ભાવના* ભડકાવે છે, તેવા આરોપ હેઠળ કલેકટર જૈક્શને તેમને *આજીવન કાળાપાણીની સજા* આપી. ● કાળાપાણીની સજા અંતર્ગત રોજ તેમને ઘાણીએ જોતરાઈ ૩૦ પાઉન્ડ તેલ કાઢવું પડતું હતું, જો તે પૂર્ણ ન થાય તો ૧૫ ચાબુકના ફટકા ખાવા પડતા. આવી અનેક યાતનાઓ તેમને સહન કરી. ● જેલમાં તેઓ કવિતાઓ પણ લખતા રહ્યા. ● બે વર્ષ બાદ વિનાયક સાવરકર પણ આ જ જેલમાં આજીવન કાળાપાણીની સજા ભોગવવા આવે છે. તેમની કોટડી ગણેશની કોટડી પાસે હોવા છતાં કેટલાય દિવસો સુધી બંને ભાઈઓને એકબીજાની ખબર સુદ્ધાં પડતી નથી. ● ચૌદ વર્ષ અંદામાન જેલમાં યાતનાઓ ભોગવતાં ગણેશ સાવરકરની તબિયત કથળે છે, મોત નજીક દેખાય છે. ● આ વાતની જાણ દેશવાસીઓને થતાં અંગ્રેજો વિરુદ્ધ મોટું આંદોલન નિર્માણ થાય છે. ● ગણેશ સાવરકર બચે તેમ નથી એવું લાગતાં સરકાર તેમને મુક્ત કરે છે. ● નાનાભાઈ ડૉ. નારાયણ સાવરકરની અથક સેવાશૂશ્રુષાથી ગણેશ સાવરકર મૃત્યુના મુખમાંથી પરત ફરે છે. ● સ્વાધીન ભારત થાય તેના એક વર્ષ પહેલાં જ ૧૬ જૂન ૧૯૪૬ના રોજ તેઓશ્રીનું નિધન થતાં માતૃભૂમિને સ્વતંત્ર જોવાની તેમની ઈચ્છા અધૂરી રહી. 🟠 દેશ માટે સમર્પિત શ્રી ગણેશ સાવરકરજીના જન્મદિવસે સૌને હાર્દિક અભિવાદન.🙏 આમ, અનેક ક્રાંતિવીરોના સમર્પણથી દેશ સ્વાધીન થયો. *ક્રાંતિવીરના જીવનને જાણવા*.... https://whatsapp.com/channel/0029Va57VG63LdQSSaDgqG1e ..વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
🙏 1

Comments