વાવ થરાદ જિલ્લો🪷
June 13, 2025 at 05:31 PM
*શ્રી ચૈતન્ય મહાપ્રભુજી*
પુણ્યતિથિ : ૧૪ જૂન ૧૫૩૪
શ્રી ચૈતન્ય મહાપ્રભુજી કહે છે...
🟠 હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નથી અને હું બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી પણ નથી. હું તો ગોપીજન વલ્લભ, ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળના દાસનો પણ દાસાનુદાસ છું. તેઓ અમૃતના મહાસાગર જેવા છે અને અખિલ વિશ્વવ્યાપી પરમ આનંદના કારણ છે. તેમનું અસ્તિત્વ સદા તેજોમય રહે છે.
🟠 જે ભજે છે તે જ મોટો છે, જે ભક્ત નથી એ તૃચ્છ છે. કૃષ્ણના ભજનમાં જાતિ કુળનો કોઈ વિચાર નથી.
🟠 જે મનુષ્ય કૃષ્ણ ભક્તિના વિજ્ઞાનમાં નિષ્ણાત હોય તે ભલે ગમે તે જાતિનો કેમ ન હોય, તે જ વાસ્તવિક સદગુરુ છે.
*હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે*
*હરે રામ હરે રામ રામ રામ હરે હરે*
આ મહામંત્ર આપનાર પ.પૂ શ્રી ચૈતન્ય મહાપ્રભુજીને શત શત વંદન.
[સંદર્ભ: શ્રી ચૈતન્ય-ચરિતામૃત, દલિત-દેવો ભવ-દ્વિતીય ભાગ, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે]
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va57VG63LdQSSaDgqG1e ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
🙏
3