
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
February 5, 2025 at 05:08 AM
*હું પણ માહે શાબાન માં રોઝા રાખુ છું અને મારા શિઆઓ ને માહે શાબાન માં રોઝા રાખવાનો હુકમ કરું છું*
وسائل الشيعة ؛ ج10 ؛ ص507
13975- 32- مُحَمَّدُ بْنُ مُحَمَّدٍ الْمُفِيدُ فِي الْمُقْنِعَةِ عَنْ مُحَمَّدِ بْنِ سِنَانٍ عَنْ
وسائل الشيعة، ج10، ص: 508
زَيْدٍ الشَّحَّامِ قَالَ: قُلْتُ لِأَبِي عَبْدِ اللَّهِ ع هَلْ صَامَ أَحَدٌ مِنْ آبَائِكَ شَعْبَانَ- فَقَالَ نَعَمْ كَانَ آبَائِي يَصُومُونَهُ وَ أَنَا أَصُومُهُ وَ آمُرُ شِيعَتِي بِصَوْمِهِ فَمَنْ صَامَ مِنْكُمْ شَعْبَانَ حَتَّى يَصِلَهُ بِشَهْرِ رَمَضَانَ- كَانَ حَقّاً عَلَى اللَّهِ أَنْ يُعْطِيَهُ جَنَّتَيْنِ وَ يُنَادِيهِ مَلَكٌ مِنْ بُطْنَانِ الْعَرْشِ عِنْدَ إِفْطَارِهِ كُلَّ لَيْلَةٍ يَا فُلَانُ طِبْتَ وَ طَابَتْ لَكَ الْجَنَّةُ- وَ كَفَى بِكَ أَنَّكَ سَرَرْتَ رَسُولَ اللَّهِ ص بَعْدَ مَوْتِه
રાવી એ *હ. ઈમામ જાફર સાદિક અ.સ. ને* પૂછ્યું :
*“શું આપના પવિત્ર બાપ દાદાઓમાંથી કોઈ માહે શાબાનમાં રોઝા રાખતા હતા ?”*
ઈમામ અ.સ. :
*“હા, મારા પવિત્ર બાપદાદાઓ માહે શાબાનમાં રોઝા રાખતા હતા અને હું પણ માહે શાબાનમાં રોઝા રાખુ છું અને મારા શિઆઓને માહે શાબાનમાં રોઝા રાખવાનો હુકમ કરું છું.*
*તમારામાંથી કોઈ માહે શાબાનમાં રોઝા રાખે અને તેને માહે રમઝાનની સાથે મેળવી દે તો* અલ્લાહ ત.ત. પર એ હક્ક છે કે તેને બે જન્નત અતા કરે અને દરેક રાત્રીના ઇફતારના સમયે અર્શની નીચેથી એક ફરિશ્તો તેને કહેશે :
*‘અય ફલાણા ! તું પવિત્ર થયો અને તારા માટે જન્નત પવિત્ર થઇ. અને તારા માટે એટલું કાફી છે કે તે હ. રસુલે ખુદા સ.અ.વ. ને તેમની શહાદતના પછી રાઝી કરી દીધા.”*
(વસાએલુશ્શિઆ ભાગ ૧૦ પા ૫૦૭ હ ૧૩૯૭૫ )
❤️
2