સમાચાર સૂત્ર
February 6, 2025 at 01:52 AM
*Ahmedabad* • શહેરમાં લૂંટના ઇરાદે હત્યાનો બનાવ આવ્યો સામે, • ઠક્કરનગર એપ્રોચ નજીક આવેલા ચમક ચુના પાસે, કિશોર કૉમ્પ્લેક્સમાં ચાલતા મધુવન ગેસ્ટ હાઉસના માલિકની છરીના ઘા મારીને હત્યા. • મંગળવાર (4 ફેબ્રુઆરી) ના રોજ રાતે 10:30 કલાક દરમિયાન પૈસા લઈને નીકળેલ રાજેન્દ્રસિંહ રાવ નામના યુવકને 2-3 લોકોએ રોકીને પૈસા આપી દેવા જણાવ્યું જેને લઇને આરોપીઓ અને મૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. • જેમાંથી એક આરોપીએ છરી કાઢીને યુવકને મારી દેતાં યુવકનું મોત નિપજ્યું હતું, • ઘટના સમયે મૃતકનો મિત્ર પણ આવી જતા તેને પણ ઘાયલ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. • આ અંગે કૃષ્ણનગર પોલીસ ચોકીમાં જાણ થતાં પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. • આ બનાવમાં ફરિયાદ મુજબ 1.5 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો!

Comments