સમાચાર સૂત્ર
February 22, 2025 at 05:50 AM
*Rajkot*
• રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નના દિવસે જ આયોજકો ફરાર થતા અનેક વરરાજા, વહુ અને જાનૈયાઓ રઝળી પડ્યા છે. માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું.
• પરંતું સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતાં લગ્ન અટકી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે.
• રાજકોટના ઋષિવંશી ગ્રુપે માધાપરી ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.
• આજે (22 ફેબ્રુઆરી, શનિવાર) 28 યુગલોના લગ્ન હતા. લગ્ન મંડપ તૈયાર થઈ ગયો હતો.
• પરંતું જ્યારે જાનૈયાઓ અને વર-વધુ જાન લઈને લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે, અહી કોઈ જ વ્યવસ્થા ન હતા.
• આયોજકોનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો નહોતો.
• આમ, આયોજનના અભાવે 28 યુગલોના લગ્ન અટકી પડ્યાં છે.
• લગ્નના દિવસે જ લગ્ન અટકી પડતા પરિવારો હતાશ થયા હતા.
• સમુહ લગ્ન માટે આયોજકોએ પ્રત્યેક માંડવા દીઠ 40 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા.
• આયોજકોમાં ચંદ્રેશ છત્રોલા, દિપક હિરાણી અને દિલીપ ગોહેલનું નામ સામે આવ્યું છે. જેઓ હાલ ગાયબ છે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!