સાહિત્યની પાઠશાળા 🎯
                                
                            
                            
                    
                                
                                
                                February 22, 2025 at 04:42 AM
                               
                            
                        
                            આજની સ્થિતિની કલ્પના જ્યોતીન્દ્રભાઈએ આજથી સિત્તેર વરસ અગાઉ કરેલી!
***
લેખકોને તંત્રીઓ રોગ, દેવુંને ચક્રવૃદ્ધિ વ્યાજની ગતિએ વૃદ્ધિ પામતા જાય છે.ને વાચકો આયુષ્ય, શાંતિને સુખની પેઠે દિવસે દિવસે ઓછા થતા જાય છે. એક વખત એવો પણ આવશે કે વાચક કોઈ હશે જ નહિ, પણ લેખકને તંત્રી એ બે જ વિભાગ પત્રકાર જગતમાં રહેશે. ‘કમ્પોઝીટરો’ પણ કમ્પોઝ કરતાં કરતાં લેખો લખતા થઈ જશે. અને અંતે દરેક લેખક પોતે જ પોતાનું માસિક, અઠવાડિક અથવા દૈનિક કાઢી પોતે જ તંત્રી, વ્યવસ્થાપક, લેખક ને વાચક બનશે!
~ જ્યોતીન્દ્ર દવે (‘રેતીની રોટલી’માંથી)
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👌
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        7