
રાષ્ટ્રીય વિમર્શ
May 27, 2025 at 05:12 PM
*વિનાયક દામોદર સાવરકર*
*સ્વાતંત્ર્ય વીર સાવરકર*
જન્મદિન : ૨૮ મે ૧૮૮૩.
🔸️જન્મ: ભાગુર, નાસિક, મહારાષ્ટ્ર
🔸️ભારતીય સ્વાધીનતા સંગ્રામના મહાન ક્રાંતિકારી, વિચારક, લેખક, પ્રખર વક્તા અને સમાજ સુધારક.
🔸️બે વાર આજીવન કારાવાસની સજા પામનાર વિશ્વના એકમાત્ર વ્યક્તિ.
🔸️તેઓશ્રીનું પુસ્તક *દ ઈન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ-1857* મુદ્રિત થતાં પહેલાં પ્રતિબંધિત કરવામાં આવેલ.
🔸️પૂર્ણ સ્વતંત્રાતાની માંગણી કરનાર પહેલા ક્રાંતિકારી.
🔸️ તેઓશ્રીએ *મિત્ર મેળા* તથા *અભિનવ ભારત* સંગઠનની સ્થાપના કરેલ.
🔸️બંગાળ વિભાજનના વિરોધમાં તેઓશ્રીએ *વિદેશી કપડાંઓની હોળી* કરેલ.
🔸️ *યુગાંતર, ઈન્ડિયન સોસિયોલોજીસ્ટ તથા તલવાર* જેવી પત્રિકાઓમાં લખતા હતા.
🌞 વીર સાવરકર પ્રથમ વ્યક્તિ હતા જેમણે અસ્પૃશ્યોને મંદિર પ્રવેશ હેતુ આંદોલન ચલાવ્યું હતું અને રત્નાગિરીમાં પતિત પાવન મંદિરની સ્થાપના કરી, તેમાં એક દલિત બંધુને પૂજારી બનાવ્યા હતા.
🌞 વીર સાવરકરજી કહે છે જાતિગત ભેદભાવનો સનાતન ધર્મ સાથે કોઈ સંબંધ નથી. જાતિગત ભેદભાવોના નષ્ટ થવાથી સનાતન ધર્મ નષ્ટ નહીં થાય.
🌞 *ડૉ.આંબેડકરજી* એ પોતાના પાક્ષિક *'સમતા,* માં સાવરકરજીના દિનાંક: ૧૪ એપ્રિલ ૧૯૨૮ના પત્રને, દિનાંક: ૨૪ ઓગસ્ટ ૧૯૨૮ના અંકમાં તંત્રીસ્થાનમાં *अमचा माणूस* (Our MAN) શીર્ષક હેઠળ પ્રશંસા સાથે પ્રસિદ્ધ કર્યો હતો. પત્રમાં સાવરકરજીએ સ્પષ્ટ લખ્યું હતું કે *"હિન્દુ સમાજમાંથી જાતિભેદને નષ્ટ કરવો અત્યંત આવશ્યક છે. તેનું સમર્થન પણ કોઈપણ સ્વરૂપમાં થઈ શકે જ નહિ. તે રાષ્ટ્રશક્તિને હાનિકારક છે....હિન્દુ સમાજમાં રોટી બેટી વ્યવહાર થવો જોઈ.."*
#રાષ્ટ્રીય_વિમર્શ .. *ભારતમાતાના વીર સપૂતોને વંદન કરીએ*
*વિવિધ વાતો જાણવા* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો. નોટિફિકેશન બટન ON રાખશોજી.🙏

🙏
❤️
👍
❤
🇮🇳
😢
24