રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 9, 2025 at 03:35 AM
*ભગવાન બિરસા મુંડાના જીવન પરની પોસ્ટ* સંકલન... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલ સૌને #જય_જોહાર, જય હિન્દ #વંદે_માતરમ્ , જય ભારત 🙏 *ભગવાન બિરસા મુંડા* જન્મ : ૧૫ નવેમ્બર ૧૮૭૫ પોસ્ટ-૧….. 🔸️જનજાતિ વીર,સ્વતંત્રતા સેનાની,ધર્મયોદ્ધા,મહાન યુગપુરુષ 🔸️રાષ્ટ્ર અને ધર્મ માટે જીવન સમર્પિત કરનાર. 🔸️જન્મ : ઉલિહાતુ ગામ, છોટાનાગપુર-ઝારખંડ. 🔸️બૃહસ્પતિ વારના દિવસે જન્મ થયેલ હોય નામ રાખ્યું બિરસા. 🔸️ *દેવગુરુ બૃહસ્પતિને આપણી લોકભાષામાં બિરસા* કહે છે. 🔸️●માતા : *કરમી હાતૂ* ●પિતા : *સુગના મુંડા* 🔸️મુખ્ય વ્યવસાય : ખેતીવાડી 🔸️સમાજ, ધર્મ અને સ્ત્રી સંચેતના જગાવનાર 🔸️ઔપનિવેશિકતા અને બ્રિટિશ સામ્રાજ્યવાદના વિરોધી પ્રખર દેશભક્ત. 🔸️૨૫ વર્ષથી ઓછી વયમાં તેઓશ્રીએ સમાજમાં સાંસ્કૃતિક પુનઃ જાગરણની જબરજસ્ત અદ્ભુત લહેર પેદા કરી. 🔸️સંપૂર્ણ ભારત તેઓશ્રીને *ભગવાન બિરસા* તરીકે પૂજે છે. પોસ્ટ-૨….. ●ઉલીહાતુમાં રહેવાવાળા જનજાતિ સમુદાયને બ્રિટિશર્સ તેમજ બ્રિટિશર્સને મદદ કરનાર જમીનદારો-સરદારોનો અત્યાચાર સહન કરવો પડતો. ●બ્રિટિશર્સ અહીં રહેવાવાળા જનજાતિ લોકોને અસભ્ય અને જંગલી કહેતા. ●બ્રિટિશર્સ જનજાતિ સમુદાયની માતા-બહેનો તરફ કુદ્રષ્ટિ રાખતા હતા. ●બ્રિટિશરોના અત્યાચાર-શોષણને કારણે નિર્માણ થયેલ દયનીય દારુણ પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા બિરસાના પિતા સુગના મુંડાને પરિવાર સાથે ઉલીહાતુ છોડી ભાગી નીકળવું પડે છે. બંબા જઈને તેઓ વસે છે. ✍🏻ચિંતન કણિકા: સ્પેનના રાજાએ ઈટાલિયન નાવિક કોલંબસને ભારત પહોંચવાનો દરિયાઈ માર્ગ શોધવાનો આદેશ આપેલ અને ભારતથી પરત આવતી વખતે તેજાના-મસાલાનો જથ્થો લાવવાની જવાબદારી પણ આપેલ. પરંતુ *કોલંબસ* ભારત ન પહોંચતાં *અમેરિકા દ્વીપ પહોંચી જાય છે*. ત્યાં પહોંચી તેને *મૂળનિવાસી મહિલાઓને અમાનવીય રૂપે બંધક બનાવી, વેનિસના બજારમાં વેશ્યાવૃત્તિ માટે વેચી દીધી. અમુક મહિલાઓને દરબાર સમક્ષ નગ્ન અવસ્થામાં ભેટ સ્વરૂપે પ્રસ્તુત કરી*. તે બાદ પણ સતત ૩૦૦ વર્ષ સુધી મૂળનિવાસીઓની મહિલાઓ સાથે આવો જ ખરાબ વ્યવહાર ચાલતો જ રહે છે. પોસ્ટ-૩….. 🔹️બ્રિટિશ સામ્રાજ્યનો પાયો મજબૂત કરવા ધર્મપ્રચારકના નાતે બ્રિટિશર્સ પોતાની સાથે મિશનરીઓને લાવેલ. 🔹️જેમનો એકમાત્ર ઉદ્દેશ ઈસાઈકરણ દ્વારા બ્રિટિશ સામ્રાજ્યના મૂળિયા સ્થિર કરવા. 🔹️ઈસાઈ મિશનરીઓ..... વનવાસીઓના ધર્મને નરક બતાવે છે અને તેના વિશે ઘણા અપશબ્દો કહે છે. અંગ્રેજોની છત્રછાયામાં મિશનરીઓ અહીંના લોકોને પોતાના ધર્મથી વિમુખ કરવા, લોભ-લાલચ અને ધાક-ધમકી આપી, ધર્માંતરણ કરાવવાનું ષડયંત્ર ચલાવી રહ્યા હતા. 🔹️આ ષડયંત્રનો ભોગ ઘણા લોકો બને છે. બિરસાના પિતા સુગના મુંડા ઈસાઈ બની જાય છે, નામ મળે છે *મસીહ દાસ*. બિરસાના માતા પણ ઈસાઈ બની જાય છે. જોત-જોતામાં મુંડા સમુદાયના અનેક પરિવારો ઈસાઈ બની જાય છે. ✍️ચિંતન કણિકા:~ *બાબાસાહેબ* ની સામે મદ્રાસમાં તમિલનાડુ દલિત વર્ગ અને એક ઈસાઈ સંસ્થાનું નિવેદન.... *...ઉપરી જાતિઓના ઈસાઈ પહેલાના જ જાતિ બંધનોનું પાલન કરતા હોઈ, દલિત વર્ગમાંથી ઈસાઈ થયેલ લોકો સાથે સારો વર્તાવ નથી કરતા.* *परधर्म भयावह* એટલે કે બીજાનો ધર્મ ભય આપનારો છે. પોસ્ટ-૪….. 🔹️માસી જૉનિ બિરસાને ભણાવવા બહુ જ સંઘર્ષ કરે છે. 🔹️માસી જૉનિના લગ્ન ખટાંગમાં થાય છે. 🔹️તેઓશ્રી પોતાની સાથે બિરસાને ખટાંગ લઈ જાય છે. 🔹️ત્યાં બિરસાની મુલાકાત એક પાદરી સાથે થાય છે. 🔹️ઈસાઈયતના વખાણ કરતાં પાદરી હિંદુ ધર્મ તથા વનવાસીઓની રહેણી-કરણીની મજાક ઉડાવે છે. 🧡માત્ર *૧૧ વર્ષનો બિરસા* પાદરીને ઉત્તર આપે છે.... *કોઈપણ ધર્મ મનુષ્યને નરકની તરફ નથી ધકેલતો. તેનો ઉદ્દેશ કેવળ ઈશ્વર પ્રાપ્તિ હોય છે. સમાજમાં અનેક ધર્મ છે અને તેના અંતર્ગત ઈશ્વર પ્રાપ્તિના અલગ અલગ સાધન છે. સૌ પોત-પોતાની ઉપયોગિતા તેમજ સ્થિતિ અનુસાર એ સાધનોનો ઉપયોગ કરે છે. એવામાં કોઈના ધાર્મિક કૃત્યોને અંધવિશ્વાસ બતાવવા વાળા મનુષ્ય જ અજ્ઞાની છે.* પોસ્ટ-૫….. ☀️તેજસ્વી બિરસાને ભણવા માટે ચાઈબાસામાં મિશનરી સ્કૂલમાં પ્રવેશ માટે ગયા ત્યારે પ્રવેશ માટે *બાપ્તિસ્મા લઈ ઈસાઈ બનવાની શરત* મુકવામાં આવી. ☀️માતા-પિતાને માન આપવા ખાતર અને આધુનિક શિક્ષણ મેળવવા માટે બિરસાએ તેનો સ્વીકાર કરવો પડ્યો. ☀️પાદરીઓએ બાપ્તિસ્મા સંસ્કાર કરી બિરસાનું ધર્માંતરણ કર્યું. બિરસાનું નામ પડે છે *ડેવિડ (દાઉદ) બિરસા*. ☀️આમ, ધર્માંતરણ બાદ જ બિરસાને ચાઈબાસાની ઈંગ્લિશ માધ્યમની લુથરન જર્મન મિશનરી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો. ☀️બિરસા અહીં વર્ષ ૧૮૮૬ થી ૧૮૯૦ સુધી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે છે. પાંચ વર્ષમાં તેમણે અંગ્રેજીની સાથે સાથે ઈસાઈ કાર્ય તેમજ પ્રાર્થના વગેરે શીખ્યા. ☀️આ સાથે તેમને શું અનુભવ્યું❓️ *જાણો......હવે….* 👉👉 એક પ્રશ્ન થાય છે... *જો ઈસાઈ મિશનરીઓ કલ્યાણનું જ કાર્ય કરી રહી હતી તો શું બિરસાનો ધર્મ બદલ્યા વિના બિરસાને શિક્ષણ પૂરી ન પાડી શકી હોત❓️*🤔 પોસ્ટ-૬….. 🔹️ચાઈબાસા લુથરન જર્મન મિશનરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઈસાઈ સંસ્કૃતિનો પરિચય આપવામાં આવતો. 🔹️સ્કૂલના છાત્રાવાસમાં તેમને ગો-માંસ ખાવાની ફરજ પડાય છે. 🔸️ *ગો-ભક્ત* બિરસાનું હૃદય આ પ્રવૃત્તિથી વિદ્રોહ પોકારી ઊઠે છે. 🔹️તેઓ સુકો રોટલો ખાઈ ચલાવી લે છે. 🔹️પાદરીઓ અને સહાધ્યાયીઓના ગો-માંસ ખાવાના આગ્રહને બિરસા ઠુકરાવી દે છે. જેના કારણે બિરસાને ધમકી આપવામાં આવે છે અને તેનો તિરસ્કાર કરવામાં આવે છે. 🔹️પાદરીઓના ઈસારે તેમના સહધ્યાયીઓ પણ તેમને હેરાન પરેશાન કરતા. 🔹️એક વાર તેમના જ સહાધ્યાયીએ બિરસાની શિખા (ચોટલી) કાપી લીધી. શિખા રાખવી એ બિરસા માટે ગૌરવની વાત હતી. 🔹️છાત્રાવાસમાં બિરસા દુઃખી દુઃખી થઈ જાય છે. 🟠બિરસાને ધીમેધીમે ધ્યાનમાં આવ્યું કે ખ્રિસ્તી પાદરીઓ ભણતરના નામે ભારતીય સંસ્કૃતિ પર આઘાત કરી રહ્યા હતા. 👉👉 *આગળ શું થાય છે❓️* ✍️ચિંતન કણિકા:~ ૧. *તથાગત બુદ્ધ* : *'જેમ માતા-પિતા, ભ્રાતા અને બીજા બંધુબાંધવ છે તેવી જ રીતે ગાય અમારી પરમ મિત્ર છે.'* (બ્રાહ્મણ ધમ્મિક સુત્ત) ૨. *ગાંધીજી*, …… *'..બાળક પણ સમજે છે કે ગાયની રક્ષા કરવી જોઈએ. ગોરક્ષા નથી કરતા ત્યાં સુધી આપણી હિન્દુ કેવા❓️'* ૩. ૧૯૧૩ના જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં *આંબેડકર* ન્યૂયોર્ક પહોંચ્યા. પ્રથમ તેઓ વિશ્વવિદ્યાલયના છાત્રાલયોમાં ગયા. પરંતુ ત્યાંના કાચા અનાજ અને ગોમાંસના ભોજનની તેઓને ઘૃણા થવાથી જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ રહેતા હતા ત્યાંની કુટુંબ મંડળીમાં તેઓ રહેવા ગયા. પોસ્ટ-૭….. 🔸️બિરસા ઈસાઈયતમાં દીક્ષિત જરૂર હતા. પરંતુ તેમના હૃદયમાં જંગલ અને સનાતન પરંપરાઓ વિરાજમાન હતી. 🔸️શાળાના શિક્ષણ દરમ્યાનથી જ તે બ્રિટિશ શાસકોના અત્યાચારને અનુભવવા લાગ્યા હતા અને તેને દૂર કરવા માટે ચિંતન કરવા લાગ્યા હતા. 🔸️જ્યારે મિશનરી સ્કૂલમાં કહેવામાં આવી રહ્યું હતું કે *જનજાતિઓનો કોઈ ધર્મ નથી. તેમની પાસે તો કેવળ અંધવિશ્વાસ છે. તેમની પાસે ડાયન વિદ્યાનું નૃત્ય છે. તેમની પોતાની કોઈ પરંપરા નથી. તે કોઈ પણ પ્રકારે કોઈ પ્રતિષ્ઠિત ધર્મને માનવા વાળા લોકો નથી. તેમની અંદર કોઈ સાંસ્કૃતિક ચેતના નથી. તેમની પરંપરાઓ અત્યંત આદિમ, ફળ ન આપનારી છે. તે ઈતિહાસ પરખ પણ નથી અને તેમની એક સમસામાયિક સમાજમાં, વૈજ્ઞાનિક સમાજમાં કોઈ ઉપયોગીતા ન હોઈ શકે.* 🔸️શિક્ષકો પાસેથી ઈસાઈયતની આ શિક્ષા સાંભળી કિશોર વયે પહોંચેલો બિરસા સિંહ ગર્જનાની સાથે ઉભો થઈ જાય છે, હાથીની જેમ ચિંઘાડે છે અને હુંકાર ભરતાં આ ધર્મયોદ્ધા કહે છે, *ધર્મ ક્યારે એ નથી શીખવાડતો કે કોઈપણ માનવ જાતિ, સમુદાય, પરંપરા અને તેની સાંસ્કૃતિક ભાવનાનું માનમર્દન કરવામાં આવે અને જે ધર્મ આ કરે છે બિરસા તેની વિરુદ્ધ છે.* 👉👉 *અરે! પછી શું થયું હશે❓️* પોસ્ટ-૮….. 🔸️૧૬ વર્ષનો કિશોર બિરસા પાદરીને કહે છે, ફાધર! તમે લોકો જૂઠ અને મક્કારીનો સહારો લઈને અમારું શોષણ કરી રહ્યા છો. ગરીબ, બિચારા, બાપડા અને અશિક્ષિત આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાવો છો. 🔹️એક વખત બિરસાએ *પાદરી નોટ્સ* ની સામે કહી દીધું હતું કે *“સાહેબ સાહબે એક જ ટોપી છે."* એટલે કે અત્યાચારી અંગ્રેજ ઓફિસરો અને પાદરીઓ એક જ છે. 🔹️આ કારણે બિરસાને માફી માંગવા કહેવામાં આવે છે. પરંતુ બિરસાએ માફી ન માંગી. 🔸️બિરસાને ચર્ચના પ્રધાન પાદરીએ બોલાવ્યો કેમકે બિરસાની ક્ષમતાઓથી તે પરિચિત હતા અને બિરસાને તેમણે કહ્યું, *તું હવે મુંડા નથી રહ્યો. તું કેવળ અને કેવળ એક ઈસાઈ છે. તારો baptization(બપતિસ્મા) થઈ ગયો છે. તારા પિતા ઈસાઈયત સ્વીકાર કરી ચૂક્યા છે. તારી માતા ઈસાઈયત સ્વીકાર કરી ચૂક્યા છે. તારી બહેનો ઈસાઈયત સ્વીકાર કરી ચૂક્યા છે. તારા સમાજના પ્રત્યેક વ્યક્તિ ઈસાઈયતને સ્વીકાર કરી ચૂક્યા છે અને તું ઈસાઈયતને ગાળી આપી રહ્યો છે.* 🔸️બિરસા કહે છે, મેં ઈસાઈયતને ગાળો નથી આપી. ઈસાઈયત જે રીતે અમારી ભૂમિ પર કામ કરી રહી છે, મેં તેનો વિરોધ કર્યો છે. 🔸️બિરસા કહે છે, જો તમારા ધર્મના પ્રચારનું માધ્યમ આ છે. ભાષા આ છે. પદ્ધતિ આ છે તો તમારી સ્કૂલની, તમારા ચર્ચની, તમારી રોટલીની, તમારા દ્વારા આપેલ વસ્ત્રની મને કોઈ આવશ્યકતા નથી. 👉👉 *ઓ…હ…. પછી શું થાય છે❓️* પોસ્ટ-૯….. 🔹️બિરસાને સ્કૂલમાંથી નિકાળી દેવામાં આવે છે. 🔹️બિરસા જ્યારે પોતાના કક્ષમાં જઈ પોતાનો સામાન ભરી રહ્યા હોય છે ત્યારે અન્ય સહાધ્યાયીઓ તેને પૂછે છે કે *બિરસા તું ક્યાં જઈ રહ્યો છે❓️* 🟠બિરસા કહે છે, *મારે આપણા તે ધર્મને શોધવો પડશે, કે જે ધર્મને આપણે ભૂલી ગયા છીએ.* 🔹️શાળામાંથી નિકાળ્યા પછી બિરસા પોતાના ગામ પહોંચે છે. 🔹️ગામ સમસ્ત આ જાણી બિરસાનું ઉમળકાભેર સ્વાગત કરે છે. 🔹️ઘરે જઈ માતાને કહે છે,........ 🔸️ *મા ❗️…….* પોસ્ટ-૧૦….. 🔸️મા❗️ હું ઈસાઈયત સ્વીકાર નથી કરતો. મને કોઈ ધર્મથી ધૃણા નથી. પરંતુ મા❗️હું એ ધર્મને શોધીશ, જે ધર્મની મેં કથાઓ આપણી પાસેથી સાંભળી છે. નાનીની પાસેથી સાંભળી છે. મારી માસીની પાસેથી સાંભળી છે. હું તે ધર્મને શોધી કાઢીશ. 🔸️મા કહે છે, તું કેવી વાતો કરે છે? આ સ્કૂલ માટે તારા પિતાએ ક્યાં ક્યાં ઘૂંટણ નથી ટેકવ્યા, ક્યાં ક્યાં માથું નથી ઝુકાવ્યું? 🟠બિરસા કહે છે, મા❗️તેમને ખોટું કર્યું. સારું થાત કે તે મને મારી પરંપરાઓનું જ્ઞાન કરાવતા. આ ચર્ચ, આ ટોપી, આ લૂથેરિયન, આ પ્રોટેસ્ટન્ટ, આ કેથોલિક આ બિરસાને નહીં બદલી શકે. બિરસા જરૂર એમનો રસ્તો બદલી દેશે. તું દેખજે મા. ☀️બિરસા પોતાના ભાષણોમાં વારંવાર કહે છે, *ટોપી ટોપી એક છે. આ જેટલા ટોપી-હેટ પહેરવાવાળા છે એ હળીમળીને ષડયંત્ર કરે છે. એવું ન સમજો કે બ્રિટિશ પ્રશાસન અલગ છે અને ચર્ચ અલગ છે. આ બંને એક જ છે અને એ સૌ મળીને ષડયંત્ર કરી રહ્યા છે.* 👉👉 *બિરસા સાથે પછી શું બને છે❓️* પોસ્ટ-૧૧….. 🔸️વર્ષ ૧૮૯૧માં બદ ગામમાં તેમની મુલાકાત જમીનદાર જગમોહનસિંહના ઘરે એક સાધુ પુરુષ સાથે થાય છે. તેમનું નામ હતું *આનંદ પાંડે*. તેમની પાસેથી તેમણે રામાયણ મહાભારતની કથાઓ સાંભળી, વેદ-પુરાણ-ઉપનિષદ-ગીતા વગેરે હિન્દુ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેથી બિરસાને પોતાના ધર્મ તથા સાંસ્કૃતિક વારસાના દર્શન થયા. 🔸️બિરસાએ આનંદને પોતાના ગુરુ માન્યા. 🔸️તેઓશ્રીએ ઈસાઈ ધર્મને છોડી પરત પોતાના મૂળ ધર્મમાં પરત ફર્યા. 🔸️તેમણે *જનોઈ ધારણ કરી, માથે પીળાશયુક્ત પાઘડી ધારણ કરી, કપાળે ચંદન તિલક લગાવ્યું.* 🔸️તે તુલસીની નિત્ય પૂજા કરવા લાગ્યા. 🟠આમ, હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે સભાન થયેલ બિરસા સનાતન રીતિરિવાજો મુજબ જીવન વ્યતિત કરવા લાગ્યા. ✍️ચિંતન કણિકા :~ ● શ્રીમદ્ ભગવદ્ ગીતા : • *न हि ज्ञानेन सदृशं पवित्रं इह विद्यते।* • *સ્વધર્મે નિધનમ શ્રેયમ, પરધર્મ ભયાવહ*. ● *અમે હિન્દુ જ પેદા થયા છીએ અને હિન્દુ તરીકે જ મરીશું*. _ કાર્તિક ઉરાંવ (પૂર્વ સાંસદ, કોંગ્રેસ પક્ષ) ● *धर्मो रक्षित रक्षित:।* પોસ્ટ-૧૨….. 🔸️બિરસાએ વનવાસીઓને ઈસાઈયત છોડી દેવાનું અને સ્વધર્મમાં પાછા ફરવાનું આહ્વાન કર્યું. 🔸️બિરસાના માતાપિતાએ ઘરવાપસી કરી મૂળ ધર્મને સ્વીકાર્યો. 🔸️જોત-જોતામાં અનેક વનવાસી બાંધવો ઈસાઈ ધર્મ છોડી પુનઃ પોતાના મૂળ ધર્મમાં પાછા વળવા લાગ્યા. 🔸️બિરસાએ વનવાસી સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનોની સામે અભિયાન ચાલુ કર્યું. 🔸️પોતાના ધર્મ અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે તેઓશ્રી એક શુભકાર્ય રૂપી અભિયાનની શરૂઆત કરે છે. 🟠તેઓશ્રી *બિરસૈત પંથ* ની સ્થાપના કરે છે. આ પંથના સિદ્ધાંતોને *બિરસાઈયત* કહેવામાં આવતા. 🔸️ધીમે ધીમે તેમના અનુયાયોની સંખ્યા અવિરત વધતી જાય છે. 👉👉 *અભિયાન ચાલુ કર્યું❗️❓* હા, અભિયાન……….. પોસ્ટ ૧૩ 🔹️અભિયાન❗️હા અભિયાન….. ☀️ *બિરસાઈત આંદોલન-અભિયાન* 🔸️આધ્યાત્મિક સાધના અને ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરી ગામે- ગામ ફરી પવિત્ર જીવનના સંદેશ તેમજ ધાર્મિક ઉપદેશ આપવાનું, ઉપરાંત ઘરવાપસીનું આંદોલન-અભિયાન શરૂ કરે છે. 🔸️તેઓશ્રીનું આ સમાજ સુધારણાનું આંદોલન સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ અને ચૈતન્ય મહાપ્રભુજીના આંદોલનની જેમ જ પ્રગતિશીલ તેમજ ઉદારવાદી સિદ્ધાંતો પર આધારિત હતું. 🔸️બિરસા મુંડાના ઉપદેશ અને આંદોલનના મુખ્ય બિંદુ રૂપી *૧૧ બિરસાઈત* હતી… ૧. ઈશ્વર એટલે કે સિંગબોંગા એક છે. ૨. ગાયની સેવા કરો અને તમામ પ્રાણીઓ પર દયાભાવ રાખો. ૩. નશો ન કરો, અશુદ્ધ ભોજન ન કરો. ૪. સાદગી રાખો, ઘર સ્વચ્છ અને સુઘડ રાખો, પોતાના ઘરમાં તુલસીના છોડ રોપો. ૫. વડીલોનો આદર કરો અને કુસંગતિથી બચો. ૬. ખ્રિસ્તીઓની મોહજાળમાં ન ફસાઓ. ૭. પરધર્મથી સારો સ્વ-ધર્મ (આપણો ધર્મ) છે. ૮. પોતાની સંસ્કૃતિ, ધર્મ અને પોતાના પૂર્વજો પર અતૂટ શ્રદ્ધા રાખો. ૯. ધર્મ,સંસ્કૃતિ,પરંપરાને ભુલવાથી સમાજની ઓળખ ભૂંસાઈ જાય છે. ૧૦. સપંથી રહો. કદી પણ અંદરો અંદર ન ઝગડો. ૧૧. અઠવાડિયામાં એક દિવસ બુધવારે ભગવાનની પૂજા કરો, હળ ન ચલાવશો. 🟠લોકો તેમને *મહાત્મા બિરસા,ધરતી આબા,ભગવાન* તરીકે ઓળખવા લાગ્યા. 👉👉બધા મહાપુરુષોનો એક જ સંદેશ: *સંગઠિત બનો, ધર્મ માર્ગે ચાલો, સંસ્કૃતિનું જતન કરો.* પોસ્ટ-૧૪….. 🔹️સમાજ પ્રત્યે અત્યતં સંવેદનશીલ ભગવાન બિરસાએ સમાજસેવા, સમાજ સુધારણા અને સમાજ જાગૃતિના કાર્યોનો પ્રારંભ કર્યો. 🔹️તેઓશ્રી આયુર્વેદનું જ્ઞાન ધરાવતા હતા. 🔹️પ્રારંભમાં તેઓશ્રી નજીકના ગામોમાં જઈ લોકોની સારવાર કરતા. 🔹️ચલકત ગામમાં એક આશ્રમ બનાવ્યો કે જ્યાં લોકોની સારવાર કરવામાં આવતી. 🔹️જોતજોતામાં આ આશ્રમ ક્રાંતિનો ગઢ બની જાય છે. 🔹️તેઓશ્રી લોકોને ઝાડફૂંક કરવાવાળાના કાર્યો અને સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા તેમજ વ્યસનો અને કુરિવાજોથી મુક્ત થવાના સંદેશાઓ આપી જાગૃત કરે છે. પોસ્ટ-૧૫….. 🔸️વર્ષ ૧૮૯૩-૯૪માં સિંહભૂમિ અને અન્ય ક્ષેત્રોમાં ખાલી પડેલી ભૂમિને ક્રૂર દુષ્ટ અંગ્રેજ સરકારે ભારતીય વન અધિકાર હેઠળ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યું. તેના અંતર્ગત જનજાતિ સમાજના વન અધિકાર છીનવી લીધા. 🟠ભગવાન બિરસાના સબળ નેતૃત્વ હેઠળ યાચિકા દાખલ કરી અધિકારોની માંગણી કરવામાં આવે છે. 🔸️જળ જમીન અને જંગલની રક્ષા માટે અંગ્રેજ સરકાર અને ખ્રિસ્તી પાદરીઓ સામે સંઘર્ષ આંદોલન *ઉલગુલાન* ની તેમને શરૂઆત કરી. 🔸️ભગવાન બિરસાએ સ્વતંત્રતા માટે *અબુવા દિશુમ અબુઆ રાજ* એટલે કે 'આપણો દેશ આપણું રાજ'નો શંખનાદ કરી, જનજાતિ યુવકોને જાગૃત કરી સંગઠિત કર્યા. 👉આમ, *ઈસાઈ ધર્મના બહિષ્કારની સાથે સાથે ભગવાન બિરસાએ આર્થિક, ધાર્મિક અને સામાજિક સુધારોનો સુત્રપાત કર્યો. આ પ્રતિકારે અંગ્રેજો તેમજ ચર્ચના પાદરીઓને હલાવી દીધા.* પોસ્ટ-૧૬….. 🔹️ભગવાન બિરસાનું આંદોલન વિકરાળ રૂપ ધારણ કરે છે. 🔸️દુષ્ટ અંગ્રેજોને એક સાધારણ વનવાસી તેમના મિશનની સામે દિવાલનો જેમ અડગ ઉભો થઈ જાય તે તેમને સ્વીકાર્ય નહોતું. આથી તે આ દીવાલને તોડી પાડવા માંગતા હતા. 🔹️બ્રિટિશ અધિકારીઓએ ભગવાન બિરસા વિરુદ્ધ રિપોર્ટ બનાવી સરકારને પ્રસ્તુત કર્યો. 🔸️ભગવાન બિરસા ઉપર અનેક આરોપો લગાવવામાં આવ્યા. 🔹️ભગવાન બિરસા વિરુદ્ધ સરકારને ભલામણો કરવામાં આવી. 🔸️એક કમિશનરે સરકારને ભલામણ કરી હતી, જેમાં સ્પષ્ટરૂપથી કહેવામાં આવ્યું હતું કે *વનવાસી સમાજમાં ધર્મના પ્રભાવને સમાપ્ત કરવા માટે ભગવાન બિરસાને કઠોરમાં કઠોર દંડ આપવામાં આવે જેથી કરી ભવિષ્યમાં કોઈ પણ ભગવાન બિરસાનું અનુસરણ ન કરે.* 🔹️આંદોલનને દબાવવાના પ્રયાસરૂપે અંગ્રેજ ઓફિસર હાફમૈને ક્રાંતિકારી વિરુદ્ધ કઠોર કાર્યવાહીનું સમર્થન કર્યું. પોસ્ટ-૧૭ 🌑ક્રૂર અંગ્રેજોએ કોઈપણ મૂલ્યે ભગવાન બિરસાની ક્રાંતિને કચડી નાખવાનો આદેશ આપ્યો. 🌑પણ સામી છાતીએ ભગવાન બિરસાને પડકારવાની અંગ્રેજોની તાકાત નહોતી. આથી ૨૫ ઓગસ્ટ ૧૮૯૫ના રોજ અંગ્રેજ પોલીસ છળકપટ કરી તેમની ધરપકડ કરે છે. 🌑તેમને હજારી બાગની જેલમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેઓશ્રીએ બે વર્ષ કારાવાસમાં રાખવામાં આવે છે. 🌑આ દરમિયાન રાક્ષસી અંગ્રેજ સરકારે નવા નવા કાયદાઓ બનાવ્યા અને લોકો ઉપર મોટા કર નાખી લોકોના જીવનને નર્ક બનાવી દીધું. લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. લોકોની આ અસહાય પરિસ્થિતિનો લાભ લઈ ખ્રિસ્તી મિશનરી સ્વધર્મમાં પરત ફરેલ લોકો અને અન્ય લોકોને મોટા પાયે ઈસાઈ બનાવવાના કાર્યને વેગ આપ્યો. લાચારીના માર્યા જનજાતિ લોકો દુર્ભાગ્યવશ ઈસાઈ બનવા વિવશ બન્યા. 🌑ભગવાન બિરસાના આંદોલનને આગળ ધપાવનાર સૌ કોઈને અંગ્રેજ સરકાર ગોળીઓથી વિંધી નાખતી કે ઝાડ ઉપર જીવતા લટકાવી ફાંસી આપી દેતી. 🟠ભગવાન શ્રી બિરસાજી ૩૦ નવેમ્બર ૧૮૯૭માં જેલમાંથી છૂટે છે. પોસ્ટ-૧૮….. ●જેલમાંથી મુક્ત થતાની સાથે જ ૨૦ વર્ષની ઉંમરે પહોંચેલા ભગવાન બિરસા ફરીથી સમાજ-સંસ્કૃતિ-ધર્મ-રાષ્ટ્રના કાર્યમાં ફરીથી લાગી જાય છે. ☀️ભગવાન બિરસા મુંડા *ધાર્મિક યાત્રા* પ્રારંભ કરે. યાત્રાના સંસ્મરણો… ભગવાન બિરસા અનુયાયીઓને કહે છે, *તુલસીએ વિષ્ણુપ્રિયા છે. એમાં તમારા ધર્મનું તત્ત્વ નિહિત છે.* તેને આપણો ધર્મ માનો. તુલસીના બીજને પોતાના ઘરમાં ઉઘાડો. આજ તમારા શાશ્વત ધર્મનું પ્રતીક છે અને જ્યાં જ્યાં તુલસીના બીજમાંથી છોડ નિર્માણ થશે,તમારો ધર્મ જાગૃત થશે. તમારો ધર્મ વૃદ્ધિ પામશે. તમારો ધર્મ ભાવ વધશે. ભગવાન બિરસા મુંડા *ઉડીસામાં સ્થિત જગન્નાથપુરીને પોતાનું પૈતૃક મંદિર* માનતા હતા. જગન્નાથપુરીના મંદિરમાં પંદર દિવસ સુધી અન્નજળનો પૂર્ણરૂપે ત્યાગ કરી કઠોર તપસ્યા કરે છે. તેઓ પ્રતિજ્ઞા કરે છે કે સમાજમાં વ્યાપ્ત બધી કુરીતિઓના વિરુદ્ધ લોકોને જાગૃત કરીશ. તેઓશ્રી જગન્નાથપુરીની માટીથી પોતાના અનુયાયીઓને તિલક કરે છે અને કહે છે આ *તિલક તમારો ધર્મ છે.આ માટી તમારો ધર્મ છે.* પોસ્ટ-૧૯….. 🔸️ભગવાન બિરસા મુંડા *શુદ્ધિકરણ આંદોલન* ને આગળ વધારે છે. 🔸️તેઓશ્રી કહે છે કે અમે એ જનજાતિઓથી કોઈપણ સંબંધ નહીં રાખીએ, જેમને કોઈપણ પ્રકારથી વિધર્મનો, ઈસાઈયતનો સ્વીકાર કરી લીધો છે. અમે તેમની સાથે ખરાબ વ્યવહાર નહીં કરીએ પરંતુ અમે તેમની સાથે બેટી-રોટીનો સંબંધ નહીં રાખીએ. 🔸️તેઓશ્રી ઈસાઈ બનેલ લોકોને જણાવે છે કે તેમને જો મૂળ ધર્મમાં આવવું હોય તો તેમની પાસે એક જ ઉપાય છે. તુલસીના પાનનો સ્વીકાર કરે, જગન્નાથપુરીના જળનો સ્વીકાર કરે, જનોઈનો સ્વીકાર કરે, માથા પર તિલક ધારણ કરે, પીતાંબર વસ્ત્ર પહેરે અને પોતાના ધર્મની તરફ પાછા ફરે. જ્યારે તમે એવું કરશો તો *અમે હૃદયથી તમારું સ્વાગત કરીશું.* પોસ્ટ-૨૦….. 🔸️વર્ષ ૧૮૯૮માં ડોંબરી ક્ષેત્રના જગરી મુંડાના ઘરે મુંડાઓની પ્રથમ સભાનું આયોજન કરવામાં આવે છે. 🔸️આ સભાની અંદર ધર્મપથ પર ચાલી, પોતાના અધિકારોને અને પોતાની ખોવાયેલી ભૂમિને પુનઃ પ્રાપ્ત કરવા પર નિર્ણય લેવામાં આવે છે. સશસ્ત્ર ક્રાંતિ પર વાતચીત થાય છે. 🔸️૧૮૯૯માં તેમણે અંગ્રેજોના દમન અને શોષણ વિરુદ્ધ ફરી આંદોલનની શરૂઆત કરે છે. 🔸️લોકોને ધનુર્વિદ્યા અને કુહાડી ચલાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ કાર્યમાં માતૃશક્તિ પણ જોડાયેલ. 🔸️૯ જાન્યુઆરી ૧૯૦૦ના રોજ ભગવાન બિરસાએ જોજોહાતુની નજીક ડોંબારી પહાડીઓમાં સભા આયોજિત કરે છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. 🔹️કમિશનર સ્ટ્રીટ ફિલ્ડને જાણ થતાં જ તે આ પહાડીને ઘેરી લે છે, સંઘર્ષ થાય છે. અંગ્રેજો દ્વારા હજારો જનજાતિ ભાઈઓ-બહેનોની હત્યા થાય છે. 🧡ભગવાન શ્રી બિરસા સુરક્ષિત રહી સૌનો ઉત્સાહ વધારી સૌને સંગઠિત કરી સતત સંઘર્ષ કરે છે. પોસ્ટ-૨૧….. 🔸️ભગવાન બિરસા લોકોના પ્રબોધન અને તેમને પ્રશિક્ષિત કરવા જુદી જુદી જગ્યાઓ પર સંગોષ્ઠિઓનું આયોજન કરતા હતા. 🔸️ભગવાન બિરસા મુંડા કહે છે, *વિક્ટોરિયા તે મંદોદરી છે, જેનો પતિ માનો રાવણ અમારા દેશમાં શાસન કરી રહ્યો છે* અને જ્યાં સુધી બિરસા જીવિત છે, જ્યાં સુધી તમે જીવિત છો, તમે આ વિક્ટોરિયા ગોરી રાણીની સત્તાનો વિરોધ કરશો. 🔹️એક અંગ્રેજ ઓફિસરનું નિરીક્ષણ….. છોટા નાગપુર ક્ષેત્રનો કમિશનર લખે છે કે, જ્યાં ક્યાંય પણ *જનોઈ* મળે છે, *તુલસી* પ્રતિસ્થાપિત થયેલ મળે છે અને વાંસની ઘેરાબંધી મળે છે. તેના આધાર પર અમે એ માનીએ છીએ કે અહીં બિરસાઈત લોકોનું, બિરસાના અનુયાયીઓનું કોઈના કોઈ સંમેલન થયું છે, કોઈના કોઈ અહીં સંગોષ્ઠિ આયોજિત થઈ ગઈ છે. પોસ્ટ-૨૨….. 🔸️ભગવાન બિરસા અને તેમની સંગઠિત શક્તિના છોટા નાગપુરના સંઘર્ષનું વર્ણન કરતાં અંગ્રેજ ઓફિસર મેયર્સ લખે છે… ત્યાં તોપો હતી, સિવિલ ગન્સ પણ હતી, મોર્ટાયર પણ હતા, પરંતુ અહીયાં બિરસાઈટ્સનું સાહસ હતું કે તે કુહાડી અને ધનુષ સાથે સંઘર્ષમાં હતા અને *સ્ત્રીઓ પણ સંઘર્ષમાં હતી.* પણ… 🔸️૩ ફેબ્રઆુરી ૧૯૦૦માં ગુપ્તચરો અને ભેદીઓની મદદથી બદગાવમાં અંગ્રેજ પોલીસે ફરથી તેમની ધરપકડ કરી. ભગવાન બિરસા ને હાથ ઘડી પહેરાવીને *રાંચીની જેલ* માં લઈ જવામાં આવે છે તેમની વિરુદ્ધ *કેસ ચલાવવામાં આવે છે.* 🔹️અંગ્રેજ ઓફિસર મેયરનો રિપોર્ટ તો જાણો. 🤔 ●રિપોર્ટનો નિષ્કર્ષ●: બિરસા આંદોલનનો સંબંધ કેવળ ધર્મસંબંધી ક્રિયાકલાપો સુધી સીમિત નહોતો. તે મિશનરીઓના વિરુદ્ધની આડમાં બ્રિટિશ સરકારના વિરુદ્ધ સંગ્રામનું વાતાવરણ તૈયાર કરી રહ્યા હતા. જો બિરસાને છોડવામાં આવશે તો,આ લોકો એક જૂથ થઈ નવા રૂપે આંદોલન પ્રારંભ કરશે. જે સરકાર માટે ખતરનાક હશે જો ફરીથી બિરસાને જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો વર્ષ ૧૮૫૭ની ક્રાંતિ જેવી પરિસ્થિતિ ફરીથી પેદા થશે. હવે❓આગળ જુઓ. પોસ્ટ-૨૩ 🔸️ધર્મ, સંસ્કૃતિ અને દેશની સ્વતત્રંતા માટે અદ્ભુત કામ કરનાર *“એક મહાન ધર્મયોદ્ધા, સમાજસેવી, સ્વાતંત્ર્ય સેનાની મહાન યુગપુરુષ”* ભગવાન શ્રી બિરસા મુંડાજીનું રાંચીની જેલમાં *૯ જુન ૧૯૦૦* ના દિવસે રહસ્યમય રીતે મૃત્યુ થાય છે. 🔸️વર્તમાન લાલપુર સ્થિત કોકર જવાવાળા માર્ગમાં રાંચી ડીસ્ટીલરીની નજીક સુવર્ણ રેખા નદીના ઘાટ પર જેલ કર્મચારીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાના દેહને ગુપચુપ રીતે સળગાવી દેવામાં આવે છે. 🔸️જેલના અધિકારીઓના અનુસાર ભગવાન બિરસાનું મૃત્યુ કોલેરાથી થયું હતું. 👉 પરંતુ ભગવાન બિરસાના સમર્થ સમર્થકોએ આ વાત નકારી દીધી અને તેમનું દ્રઢ પણે માનવું હતું કે ભગવાનને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા છે. 👉કપટી અંગ્રેજોનો ઈતિહાસ, ભગવાન બિરસા દ્વારા થયેલ સામાજિક પરિવર્તન અને જેના થકી બ્રિટિશ સામ્રાજ્યમાં વ્યાપેલ ભય એ ભગવાન બિરસાને ઝેર આપી મારી નાંખ્યાની શંકાને સાચી સિદ્ધ કરવા પર્યાપ્ત લાગે છે. પોસ્ટ-૨૪….. 🔹️ભગવાન બિરસા મુંડા આયુર્વેદના જાણકાર અને પર્યાવરણવિદ્ હતા. 🔹️ભગલાન બિરસા અનેક કલાઓની સાથેસાથે વનસ્પતિઓની જડીબુટ્ટીઓનું અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા. 🔹️ભગવાન બિરસા મુંડાએ પોતાના ગુરુ પાસેથી જ્ઞાનમાં આયુર્વેદ વિદ્યા પ્રાપ્ત કરેલ. 🔹️ભગવાન બિરસા મુંડા કહેતા હતા કે તમારી પ્રકૃતિમાં તો તે બધુ જ છે જે તમને પ્રાણવાન બનાવે છે. 🔹️તેઓશ્રી સંદેશ આપતા…. આ વૃક્ષોમાં આગ ન લગાવો. આ વૃક્ષ બધું જ છે. એ માત્ર ફળ-ફૂલ જ નથી આપતા, તેનાથી તમારા બધા રોગ, બીમારીઓ ઠીક થઈ જાય છે. બધા વૃક્ષ, બધા ફળ, બધા પ્રકારની ચીજોની ઉપયોગીતા છે માટે વનમાં તેને ક્યાંય નષ્ટ ન થવા દો. પોસ્ટ-૨૫….. 🔹️સ્ત્રીઓને લઈને ભગવાન બિરસા મુંડા પોતાના અનુયાયીઓ સામે વિચાર પ્રકટ કરે છે. તેઓ શ્રી કહે છે, ●સ્ત્રી સહધર્મિણી છે, ●કેટલાય અર્થોમાં પુરુષથી વધારે સારું વિચારે છે, ●તમારા ઘરને ચલાવે છે, ●તમારા જીવનને ચલાવે છે, ●તમારા સંતાનોને જન્મ આપે છે. તેનું પાલન કરે છે. ●કોઈપણ પુરુષનું જીવન એક સ્ત્રી પ્રતિ સમર્પિત થવું જોઈએ. પોસ્ટ-૨૬….. 🔸️ભગવાન બિરસા મુંડાના ધર્મમાં ચંદન છે. 🔸️ભગવાન બિરસા મુંડાના ધર્મમાં ઉપનયન છે. 🔸️ભગવાન બિરસા મુંડાના ધર્મમાં ધ્વજ પતાકા છે. 🔸️ભગવાન બિરસા મુંડાના ધર્મમાં પીતાંબર છે. 🔸️ભગવાન બિરસા મુંડાના ધર્મમાં પ્રકૃતિ પૂજા છે. 🔸️ભગવાન બિરસા મુંડાના ધર્મમાં માતૃ-પિતૃ સેવાનો આનંદ ભાવ છે. 🔸️ભગવાન બિરસા મુંડાના ધર્મમાં એક પતિત્વ અને એક પત્નીત્વ ભાવ છે. ભારતની પવિત્ર ભૂમિમાંથી ઉદ્ભવેલા સૌ પંથ-મત-સંપ્રદાયમાં બસ સમાનતા જ સમાનતા. પોસ્ટ-૨૭….. 🟠માત્ર ૨૪ વર્ષ ૦૭ મહિના અને ૨૫ દિવસનું આયુષ્ય ભોગવનાર ભગવાન બિરસા મુંડાએ અલ્પ જીવનકાળ દરમિયાન ધર્મ-સંસ્કૃતિ-સમાજ અને રાષ્ટ્ર માટે અદ્વિતીય કાર્ય કરી બતાવ્યું. 🟠ભગવાન બિરસા ભારતના એવા સપૂત છે કે જેમની પ્રતિમા સંસદ ભવન પરિસરમાં સ્થાપિત કરવામાં આવેલ છે. 🟠૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જયંતિનો ઉત્સવ ભારતનો પુત્ર સમાજ *જનજાતિય ગૌરવ દિવસ* ના રૂપમાં મનાવે છે. 🧡આવો…. *આપણે સૌ આપણા વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જીવનમાં પવિત્ર આચરણ દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશને ચરિતાર્થ કરી, રાષ્ટ્ર-ધર્મ-સમાજ-સંસ્કૃતિ માટે સમર્પિત થઈએ. આજ ભગવાન બિરસા મુંડાજીને આપણી સાચી શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે.* 🪔 *ભગવાન બિરસા મુંડાની જય.* 🕺🕺 🪔 *સનાતન સંસ્કૃતિની જય.* 🕺🕺 #રાષ્ટ્રીય_વિમર્શ … तूं मैं एक रक्त। સૌ ભારતવાસી મૂળનિવાસી. #भगवान_बिरसा #ભગવાન_બિરસા #बिरसा_मुंडा_जयंती #janjatiyagauravdivas *ભગવાન બિરસા મુંડાના જીવનને જાણવા….* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *ભગવાન બિરસા મુંડાના જીવન પરની પોસ્ટ* સંકલન... https://whatsapp.com/ch...
🙏 ❤️ 👍 🕉 👏 🚩 30

Comments