
Rajkot Mirror News
June 13, 2025 at 05:50 AM
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. પ્લેનમાં સવાર 242માંથી 241 પેસેન્જરના મોત થયા હતા અને માત્ર એકનો બચાવ થયો છે. બીજેડી મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓ અને ઘટનાસ્થળની આજુબાજુ હાજર 20 જેટલાં અન્ય લોકો પણ મૃત્યુ પામી ગયા હતા. આ ઘટનામાં કુલ 265ના મોત થયા હતા. જેમાં એક NRI પરિવારના તમામ સભ્યો પણ સામેલ હતા, જે ઈદ કરવા માટે લંડનથી ભારત આવ્યા હતા. જેમની એરપોર્ટ પર લીધેલી છેલ્લી તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે.
