Mukesh Dalal
Mukesh Dalal
May 29, 2025 at 04:12 PM
સુરતના સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર! સુરતમાં વસવાટ કરતા કાઠિયાવાડના મુસાફરોની લાગણી અને માંગણીને ધ્યાને રાખી સુરત એસ.ટી. વિભાગની અડાજણ (સુરત) - આંકોલવાડી (ગીર) AC Volvo બસ સેવા (વાયા વડોદરા - રાજકોટ - જૂનાગઢ)ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ બસ સેવાઓ મુસાફરોની સફર વધુ આરામદાયક અને સગવડયુક્ત બનાવશે એવો વિશ્વાસ છે, ત્યારે મુસાફરી કરનાર સૌને સુખદ યાત્રાની હૃદયથી શુભકામના પાઠવું છું. આ બસ દરરોજ નિયમિત સાંજે ૭:૦૦ વાગ્યે અડાજણ, સુરત થી આંકોલવાડી તેમજ સાંજે ૫:૦૦ વાગ્યે આંકોલવાડી થી સુરત - અડાજણ પરત આવનાર છે. સૌરાષ્ટ્ર અને સુરતના સૌ મુસાફરોને આ બસનો લાભ લેવા અનુરોધ છે. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાઓ, એસ.ટી. વિભાગના કર્મીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. #surattosaurashtra #volvobusservice #suratupdates #stbusgujarat #adajantoankolwadi #publicservice #mp24suratloksabha #mukeshdalal4u

Comments