
Gujarat Information
June 13, 2025 at 05:57 AM
*અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, જે પ્રવાસી / હતભાગીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ DNA મેચ થયા પછી પરિવાર-સગાને સોંપવામાં આવશે.*
*BJ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર PSM વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે*
*ઘટનાની ગંભીરતા અને મૃતદેહ સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા આ સમગ્ર DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે.*
*મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવી શકશે.*
6357373831
6357373841
👍
😎
2