
Deep Computer.Info-CSC
June 18, 2025 at 04:22 PM
🎑ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જાણવું ઈષ્ટ છે.
☢️ ( ૧ ) ગર્ભગૃહ : 👇👇
➖ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે , જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે.
➖સામાન્યતઃ ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચો રસ હોય છે.
➖ગજરાતમાં તે નો “ ગભારો ” કહે છે.
☢️ ( ૨ ) મંડપ : 👇👇
➖આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે .
➖અહીં ભાવિક ભકતો એકત્રિત થઈને , કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે.
☢️ ( ૩ ) અંતરાલ : 👇👇
➖ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ” કહે છે.
☢️ ( ૪ ) પ્રદક્ષિણા પથ : 👇👇
➖ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને પ્રદક્ષિણાપથ કહે છે.
🍁