
Vidhya Sagar
June 19, 2025 at 12:43 PM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )*
*Q.લોથલ વેપારી પ્રવૃત્તિથી ધમધમતું સમૃદ્ધ બંદર હતું તેવું શેના પરથી કહી શકાય? સંક્ષિપ્તમાં જણાવો.*
✅લોથલ નગરમાં કોઠારોનું વિશાળ બાંધકામ મળી આવેલ છે. તેમજ, નીચલા નગરમાં બજારની બંને બાજુએ કાચી ઇંટનાં ચબૂતરા (Plinth) ઉપર ચણવામાં આવેલ શ્રેણીબદ્ધ દુકાનોના અવશેષો મળી આવ્યા છે.
✅ત્યાં મણકા બનાવવાનું કારખાનું, અકીક ઉદ્યોગ તેમજ વધુ માત્રમાં કપાસ ઉત્પાદન જોવા મળતું હતું.
✅ભરતીના સમયે વહાણ લાંગરવા માટે બનાવેલ ધક્કો (ડોકયાર્ડ) એ લોથલની વિશિષ્ટતા છે,
✅અહીંથી મળી આવેલ કારખાનું, ધક્કો, કોઠારો, અને દુકાનો વગેરે દર્શાવે છે કે લોથલ બંદર તે સમયે વેપારી પ્રવૃત્તિથી ધમધમતું ભારતનું સમૃદ્ધ બંદર હશે.