
Vidhya Sagar
June 20, 2025 at 01:39 PM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )*
*Q. મહાવીર સ્વામીના વ્યક્તિગત જીવન વિશે સંક્ષિપ્ત વર્ણન કરો.*
✅તેમનો જન્મ ઈ.સ. પૂર્વે 599માં બિહારમાં વૈશાલીના કુંડગ્રામ નામના સ્થળે થયો હતો.
✅તેમનું મૂળનામ વર્ધમાન હતું. તેમના પિતાનું સિદ્ધાર્થ, માતાનું નામ ત્રિશલાદેવી, પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શના હતું.
✅30 વર્ષની ઉંમરે ભાઈ નંદીવર્ધનની રજા લઈ સંસાર ત્યાગ કર્યો. 12 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા અને દેહદમન બાદ ૠજુપાલિકા નદીના કિનારે સાલવૃક્ષ નીચે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ સુખ-દુ:ખના બંધનમાંથી મુક્ત થયા અને ‘નિગ્રંથ’ કહેવાયા.
✅ત્રીસ વર્ષ સુધી વૈશાલી, વિદેહ અને મગધના લોકોને ધર્મસંદેશ આપ્યો.
✅ઈ.સ. પૂર્વે 527 માં રાજગૃહ નજીક આવેલાં પાવાપુરીમાં નિર્વાણ પામ્યા.