Mukesh Dalal
Mukesh Dalal
May 28, 2025 at 12:57 PM
ચાલ જીવી લઈએ... હાર ન માનીએ! આજની ભાગદોડ જિંદગીમાં માનવી સતત કોઈને કોઈ દબાણ, દાયિત્વ અને અપેક્ષાઓ વચ્ચે જીવતો હોય છે. દિલ અને દિમાગ પર ચિંતા, નિરાશા અને એકલ-પણું એવો ભાર વધારી દે છે કે ક્યારેક દુઃખની ઘડીમાં નકારાત્મક વિચારો તરફ ન વળે તે માટે "આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન (STOP SUICIDE)" જેવી સંવેદનશીલ અને જીવનપ્રદ યોજના માટે શ્રી પંકજભાઈ પ્રજાપતિ અને તેમની સંપૂર્ણ ટીમની માનવકેન્દ્રીય કામગીરીને બિરદાવું છું. સંવાદ, સહાનુભૂતિ અને સહયોગ દ્વારા જીવન તરફના વિશ્વાસને વધારતી આ પહેલ એ સમાજને અજવાળતી આશાની કિરણ છે. ચાલ જીવી લઈએ ફાઉન્ડેશનની આવી જાગૃતિમુલક પ્રવૃત્તિઓ દ્વારા વધુ સકારાત્મકતા, વધુ સમજદારી અને વધુ સહાનુભૂતિ વણાય એ માટે હું પણ એમની સાથે છું. #stopsuicide #mentalhealthawareness #suicideprevention #lifeisprecious #mp24suratloksabha #mukeshdalal4u

Comments