
Tr. YogendraBihola 🧑🏫
185 subscribers
About Tr. YogendraBihola 🧑🏫
Mathematics Teacher.
Similar Channels
Swipe to see more
Posts

*Sandart* - *ઓડિશા : પુરીનાં ખ્યાતનામ રેત કલાકાર સુદર્શન પટનાયકે અમદાવાદ વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પુરી બીચ પર રેતીનું શિલ્પ બનાવ્યું.* - *સુદર્શન પટનાયક એક પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ છે.* - *પુરી એ શહેર જ્યાં રથયાત્રા થાય છે.*


*વસ્તી ગણતરી 2027* - *ભારત સરકારના ગૃહ મંત્રાલયની જાહેરાત પ્રમાણે, ભારતની આગામી જનગણતરી વર્ષ 2027માં યોજાશે.* - *મોટાભાગના વિસ્તારો માટે સંદર્ભ તારીખ: 1 માર્ચ, 2027* - *લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હિમાવૃત વિસ્તારમાં: 1 ઑક્ટોબર, 2026* - ©️ https://x.com/kathiyawadiii


*પાણીમાં પડતી હળદર જોઈ જોઈને થાકી ગયા હો તો આ વાંચી લેજો!* - *હાલમાં ચાલી રહેલા ઈરાન-ઈજરાયલ યુદ્ધમાં ઇરાને માત્ર 1 જ દેશને પોતાના નાગરિકોને પાછા લઈ જવા માટેની પરવાનગી આપી, માત્ર 1 દેશ માટે પોતાનું એર સ્પેસ ખુલ્લુ કર્યું અને એ દેશ છે ભારત, અને આ ઓપરેશનનું નામ છે ‘ઓપરેશન સિંધુ’* - *ઓપરેશન સિંધુ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા 18 જૂન 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. આ ઓપરેશનનો મુખ્ય ઉદેશ્ય તેહરાન, મશહદ અને પાડોશી ક્ષેત્રોમાં ફસાયેલ ભારતીય નાગરિકો કે જેમાં વિદ્યાર્થીઓ, ટૂરિસ્ટો અને પરિવાર વગેરેનો શમાવેશ થાય છે, જેઓની ભારત વાપસી છે.* - *ઈરાનમાં ફસાયેલા ભારતીયોને કેવી રીતે ભારત મોકલવામાં આવી રહ્યા છે?* - *ભારતે ડિપ્લોમેટિક રીતે ઈરાન, અર્મેનિયા અને તુર્કમેનિસ્તાનની સાથે સીધો સહયોગ સાધ્યો. ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઈન અને ટેલિગ્રામ ચેનલની ઘોષણા કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ દ્વારા જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં બસ, આશ્રય અને જમવાની વ્યવસ્થાઓ કરી છે. મહિલાઓ, વૃદ્ધો અને અસ્વસ્થ નાગરિકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.* - *ઉત્તરી ઈરાનમાં ફસાયેલ ભારતીયોને સડક માર્ગે પહેલા અર્મેનિયા (યેરેવાન) અથવા તો તુર્કમેનિસ્તાન (અશ્ગાબાત) લવાયા, ત્યાંથી સ્પેશિયલ ફ્લાઇટ્સના માધ્યમથી દિલ્હી લઈ જવાય રહ્યા છે.* - *આ સિવાય, 1000 વિદ્યાર્થીઓ અને નાગરિકોને ભારત મોકલવા 3 ચાર્ટર ફ્લાઇટ્સ માટે ફક્ત ભારત માટે ઈરાનની એરસ્પેસ ખોલવામાં આવી. (આ એક અસાધારણ માનવીય રાહતનો ભાવ છે)* - *ભારત સરકારના ઓપરેશન સિંધુ હેઠળ તારીખ 18 જૂનના રોજ 110 ભારતીય વિદ્યાર્થીઓને યેરેવાનથી ડી.એલ.એફ સુધી પહોંચાડવામાં આવ્યા, 20 જૂનના રોજ 290 ભારતીય નાગરિકોને 1 ચાર્ટર ફ્લાઇટમાં દિલ્હી પહોંચાડવામાં આવ્યા, 21 જૂન સુધી તુર્કમેનિસ્તાન માર્ગેથી અને ફ્લાઇટના માધ્યમથી કુલ 517 ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા છે, એમાં પણ સૌથી વધુ મુસ્લિમ સમુદાયના લોકો છે.* - *હજુ પણ 3000+ ભારતીય નાગરિકો ઈરાનની ધરતી ઉપર છે જેને સુરક્ષિત ભારતની ધરતી પર લાવવા માટેની પ્રક્રિયાઓ શરૂ છે, ઓપરેશન સિંધુ શરૂ છે.* _*#OperationSindhu*_ ©️ https://x.com/kathiyawadiii/status/1936379770108850425

*_મહત્વપૂર્ણ જાહેરાત. 📢_* - *એક ઐતિહાસિક પહલના અંતર્ગત, 15 ઓગસ્ટ 2025 થી ₹3,000 ની કિંમત ધરાવનાર FASTag પર આધારિત વાર્ષિક પાસ શરૂ થાય છે. તે ઇસ્યુ તારીખથી એક વર્ષ સુધી અથવા 200 યાત્રાઓ સુધી (જે પહેલા) માન્ય રહેશે.* - *આ પાસ ખાનગી વાહનો, જીપ, વૈવિધ્યસભર વગેરે માટે વિશેષ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે અને તે માત્ર રાષ્ટ્રીય રાજમાર્ગો નિરંતર યાત્રા કરવાશે.* - *વાર્ષિક પાસ માટે રાજમાર્ગ યાત્રા એપ અને NHAI/MoRTH ની વેબસાઈટ પર એક અલગ લિંક ઉપલબ્ધ થશે, સાથે પ્રક્રિયા સરળ અને સુગમ થશે.* - *આ નીતિ 60 કિમીની ત્રિજ્યામાં આવેલા ટોલ પ્લાઝા અંગે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને દૂર કરશે અને એક જ અનુકૂળ વ્યવહાર દ્વારા ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરશે.* - *વાર્ષિક પાસ નીતિ લાખો ખાનગી વાહન ચાલકોને રાહ જોવાનો સમય ઘટાડીને, ભીડ ઘટાડીને અને ટોલ પ્લાઝા પરના વિવાદોને દૂર કરીને ઝડપી, સરળ અને બહેતર મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.* #FASTagBasedAnnualPass #PragatiKaHighway


- લોખંડ પણ ઓગળી ગયુ, બસ *શ્રી ભગવાન કૃષ્ણના મુખે અવતરિત શ્રીમદ ભાગવત ગીતા* એવી જ રહી ! - હજી પણ સમય છે, ભગવત ગીતાને અપનાવી લ્યો. શબ્દો એ જ સાસ્વત છે. સત્ય છે. *જય શ્રી કૃષ્ણ* 🙏 https://x.com/mohitlaws/status/1933447784012877940 - લંડન જવા બોઇંગ 787મા બેસેલા જયશ્રી પટેલ પોતાના વતનના ગામ ખંભીસર (મોડાસા)થી *ભગવત ગીતા અને બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણ* પણ લઈને નિકળ્યા હતા. - ગીતાજી પોતાની પાસે હતા. અને કનૈયાની મૂર્તિ લગેજમા હતી 🙏 🖊️ https://x.com/Vivekdoza


*૧૯૮૮ :: અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી ઇન્ડિયા ટુડે કવર સ્ટોરી* - *હાલના ચિલોડા વિસ્તારમાં વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું.* - *ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૧૧૩ એ મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઇટ હતી.* - *જે ૧૯ ઓક્ટોબર ૧૯૮૮ના રોજ અમદાવાદ એરપોર્ટ પર પહોંચતી વખતે ક્રેશ થઈ ગઈ હતી, જેમાં સવાર ૧૩૫ લોકોમાંથી ૧૩૩ લોકોના મોત થયા હતા.* - 📍https://maps.app.goo.gl/aPYLRXUf4TkAtZbn6


"*હ્રદયમાં ક્યાં બધાના ચિત્ર બને છે,* _અમુક_ *ખાસ હોય એ જ તો મિત્ર બને છે.*" 🫂👥🤝

*_જ્વાળામુખી વિસ્ફોટ_* - *યુરોપનો સૌથી સક્રિય જ્વાળામુખી માઉન્ટ એટના ઇટાલીમાં ફાટી નીકળ્યો.* - *જેના કારણે સિસિલીના આકાશમાં રાખ અને ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા.*
