HEALTH ALERT WhatsApp Channel

HEALTH ALERT

1.2K subscribers

About HEALTH ALERT

Dr.Nehal Vaidya, Pediatrician || Dr.Pranav Vaidya || Dr.Jasmine Mehta, Gynecologist || Dr.Neema Sitapara, Pediatrician and Adolescent specialist || Dr.Unmesh Upadhyay, Pediatrician and Vaccinologist ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં, જ્યાં ખોટી માહિતીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, ત્યાં સ્વાસ્થ્ય વિશેની સાચી માહિતી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. *"હેલ્થ એલર્ટ વ્હોટ્સએપ ચેનલ"* એક એવું અભિયાન છે જેનું લક્ષ્ય લોકોને સ્વાસ્થ્ય વિશેની સાચી અને વિશ્વસનીય માહિતી પહોંચાડવાનું છે. આજકાલ, મીડિયા અને સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય વિશેની ખોટી અને ભ્રામક માહિતી ખૂબ જ ઝડપથી ફેલાય છે. આવી ખોટી માહિતી માત્ર આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક જ નથી, પરંતુ કેટલીકવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. *હેલ્થ એલર્ટ વ્હોટ્સએપ ચેનલ* દ્વારા, અમે આપણા સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવા અને લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કરવા માંગીએ છીએ. *આ ચેનલ પર તમને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓ પરની વિશ્વસનીય માહિતી મળશે, જેમ કે:* * રોગોના લક્ષણો અને તેની રોકથામ * પોષણ અને આરોગ્યકર ખોરાક * સ્વસ્થ જીવનશૈલી * મેડિકલ સાયંસ માં જાણવા જેવું * તરુણાવસ્થા ની શારિરીક-માનસિક સમસ્યાઓ અને તેના ઉકેલ * પ્રસુતિ અને સ્ત્રી રોગ વિશે જાણવા જેવું તો જોડાવ *હેલ્થ એલર્ટ વ્હોટ્સએપ ચેનલ* સાથે અને રાખો તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત! *ચેનલ નો લાભ સૌને મળે એ માટે આ લિંક આગળ પણ શેર કરો!* Follow the HEALTH ALERT channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K

Similar Channels

Swipe to see more

Posts

HEALTH ALERT
HEALTH ALERT
2/22/2025, 11:22:39 AM
Post image
👍 👌 4
Image
HEALTH ALERT
HEALTH ALERT
2/24/2025, 2:34:36 PM
Post image
Image
HEALTH ALERT
HEALTH ALERT
2/26/2025, 2:15:36 PM
Post image
👍 🙏 2
Image
HEALTH ALERT
HEALTH ALERT
2/22/2025, 11:22:43 AM

આકૃતિમાં લિમ્બિક સિસ્ટમના ભાગો દર્શાવ્યા છે તથા જ્યાં પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ લખ્યું છે તે ફ્રન્ટલ લોબ છે.

HEALTH ALERT
HEALTH ALERT
2/24/2025, 2:34:42 PM
Post image
Image
HEALTH ALERT
HEALTH ALERT
2/24/2025, 2:34:35 PM
Post image
Image
HEALTH ALERT
HEALTH ALERT
2/27/2025, 4:22:38 AM

ઓછું વજન જાળવવું ઑર મુશ્કેલ ? રોજર ફેડરર કહેતો હતો કે વર્લ્ડ નંબર વન બનવું એ મુશ્કેલ તો છે જ પણ પછી ત્યાં ટકી રહેવું એ એનાથી પણ વધુ મુશ્કેલ છે. આવી જ ઘટના આપણે જ્યારે મહામહેનતે વજન ઉતારીએ છીએ પછી પણ બને છે, એટલે કે એ આદર્શ વજન પર પહોંચી તો જવાય છે પણ તેના પર ટકી રહેવું એ વધુ મુશ્કેલ પૂરવાર થાય છે. અહીં એ જાણવું આવશ્યક ગણાશે કે શરીરમાં ફેટનો સંગ્રહ કરનારા ખાસ પ્રકારના સેલ્સ આવેલા હોય છે જેમને એડીપોઝ સેલ્સ કહે છે. આ સેલ્સ એડીપોઝ ટિશ્યુ બનાવે છે. આ ટિશ્યુઝ ચામડીની નીચે, આંતરિક અવયવો પર અને અસ્થિઓ પર હોય છે. વૈજ્ઞાનિકોએ આ બાબતનાં કારણોમાં જવા પ્રયાસ કર્યો છે. વિજ્ઞાન બતાવે છે કે આપણા ફેટના સેલ્સનાં ડીએનએમાં સ્થૂળતાની સ્મૃતિ એન્કોડ થયેલી હોય છે અને આ બાબત વજન ઘટાડવાનું અને જાળવવાનું મુશ્કેલ બનાવે છે. આ બાબત સમજાવી શકે છે કે શા માટે ઘણા લોકો વારંવાર વજન ઘટાડવા અને ફરીથી પાછું હતું એવું ને એવું થઈ જવાનાં ચક્રનો અનુભવ કરે છે. નવું સંશોધન દર્શાવે છે કે સ્થૂળતા એવા એપિજેનેટિક ફેરફારો કરે છે કે જે ડીએનએમાં રાસાયણિક ફેરફારોને ઉત્તેજિત કરે છે જે ફેટના સેલ્સમાં જીન્સની પ્રવૃત્તિમાં ફેરફાર કરે છે. આ ફેરફારો વજન ઘટાડ્યા પછી પણ ચાલુ રહે છે, ફેટના સેલ્સ એવી રીતે કાર્ય કરે છે કે તેઓ શરીરને સ્થૂળતાની સ્થિતિમાં પાછું લાવી દે છે. આ અભ્યાસ દરમ્યાન સ્થૂળતાનો અનુભવ કરનાર વ્યક્તિઓ અને જેઓ ક્યારેય સ્થૂળ ન હતા તેમના ફેટના સેલ્સ વચ્ચે જીન પ્રવૃત્તિમાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો હતો. રસપ્રદ છે કે આ બદલાયેલી જીન પ્રવૃત્તિની પેટર્ન વ્યક્તિઓએ વજન-ઘટાડાની સર્જરી કરાવ્યા પછી પણ જળવાઈ રહી હતી, જે સૂચવે છે કે સ્થૂળતાનો ઈતિહાસ ધરાવતા લોકોમાં ફેટ સેલ્સ તેમની અગાઉની મેદસ્વી સ્થિતિની સેલ્યુલર મેમરી જાળવી રાખે છે. ઉંદર સાથેના પ્રયોગોએ આ તારણોને વધુ સમર્થન આપ્યું છે. જે ઉંદરો અગાઉ સ્થૂળ હતા તે ઉંદરો અને જે ક્યારેય સ્થૂળ ન હતા એ ઊંદરો એમ એ બન્ને ઊંદરોનાં ગ્રુપ્સને ઉચ્ચ ફેટવાળો ખોરાક આપવામાં આવ્યો ત્યારે અગાઉ જે સ્થૂળ હતા એ ઊંદરો સરખામણીમાં નોંધપાત્ર રીતે વધુ વજન મેળવતા જોવા મળ્યા હતા. આ સૂચવે છે કે ફેટ સેલ્સમાં થતા એપિજેનેટિક ફેરફારો માત્ર સ્થૂળતાને યાદ રાખતા નથી પરંતુ વજન પાછું મેળવવામાં પણ સક્રિયપણે ફાળો આપી શકે છે. આપણને થાય કે આ તો નિરાશાજનક હકીકત છે અને એ જાણીને ફાયદો શું, તો હકીકત એ છે કે ફેટ સેલ્સ સ્થૂળતાને કેવી રીતે યાદ રાખે છે તે સમજવાથી, વૈજ્ઞાનિકો વિશિષ્ટ પ્રકારના ઉપક્રમો વિકસાવી શકે છે, જેમ કે એવી દવાઓ કે જે આ સેલ્યુલર ફેરફારોને ઉલટાવી દે અથવા તો વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ વ્યક્તિગત રીતે ઘડી કાઢવામાં આવતા વજન-ઘટાડાના ઉપક્રમો. અહીં એ જાણવું અત્યંત જરૂરી છે કે બાળકનાં પહેલાં બે વર્ષમાં એડીપોઝ ટિશ્યુ સૌથી વધુ ઝડપે વધે છે અને એથી જો આ સમયગાળા દરમ્યાન બાળકને વધુ ફેટવાળો ખોરાક આપવામાં આવે તો એ કાયમ માટે સ્થૂળ બની જવાની અને સ્થૂળ રહેવાની પ્રકૃતિ ધરાવતું થઈ જઈ શકે છે. આ એડીપોઝ ટિશ્યુનો વધારો કિશોરાવસ્થા સુધી વધુ રહે છે, પછી ઓછો થતો જાય છે. આ કારણથી કિશોરાવસ્થામાં પહોંચે ત્યાં સુધી બાળકના ખોરાકનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. ડૉ પ્રણવ વૈદ્ય

👍 3
HEALTH ALERT
HEALTH ALERT
2/26/2025, 2:15:38 PM

ક કેળાંનો ક કેળાં લગભગ બારે માસ મળતું એક પ્રમાણમાં ઘણું સસ્તું ફળ છે. અહીં આપણે એની પાકવાની અવસ્થાના સંદર્ભમાં એના ગુણધર્મો જોઈશું. સાથે જે તસ્વીર આપી છે એ આપણને આપણાં સ્વાસ્થ્ય અને આહારનાં ધ્યેયોના આધારે કેળાંનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ સમય પસંદ કરવામાં મદદ કરે છે. ઓછાં પાકેલાં કેળાં એવો સ્ટાર્ચ ધરાવે છે કે જે ઓછો પચે છે અને એ તેમને આંતરડાંનાં સ્વાસ્થ્ય માટે આદર્શ બનાવે છે, આ ઓછાં પાકેલાં કેળાં ઉચ્ચ ફાઈબર અને ઓછી ખાંડ ધરાવે છે. બીજી બાજુ, જેમ જેમ કેળું પાકે છે, તેમ તેમ તેની એન્ટીઑકિસડન્ટ ગુણવત્તા ટોચ પર જાય છે, પાકેલાં કેળાં એ રોગપ્રતિકારક શક્તિ વધારતાં પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. જો કે, અતિશય પાકેલાં કેળાંમાં ફાઈબર અને વિટામિનની સાથે સૌથી વધુ સ્યુગર લેવલ હોય છે, જે તેને ઝડપી એનર્જી બૂસ્ટર બનાવે છે પરંતુ બ્લડ સ્યુગર લેવલનું સંચાલન કરતા લોકો માટે ઓછાં આદર્શ છે. તમને પ્રીબાયોટિક લાભો, ફાઈબરથી ભરપૂર પસંદગીઓ અથવા ત્વરિત ઉર્જા સ્ત્રોતની જરૂર હોય તો કેળાંની અવસ્થાઓને સમજવાથી તમારાં પોષણ, ફિટનેસ અને વેલનેસને શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળી શકે છે. સંકલન: ડૉ પ્રણવ વૈદ્ય

👍 ❤️ 🙏 6
HEALTH ALERT
HEALTH ALERT
2/25/2025, 4:43:21 AM

એક્વાયર્ડ સેવન્ટ સિન્ડ્રોમ એક્વાયર્ડ સેવન્ટ સિન્ડ્રોમ એ એક દુર્લભ અને ખરેખર હેરતમાં નાખી દે તેવી ન્યુરોલોજીકલ ઘટના છે, મગજની એક એવી ઘટના કે જે આપણાં મગજને ચકરાવે ચડાવી દે ! આ એક એવી ઘટના છે કે જેમાં વ્યક્તિમાં અચાનક જ અસાધારણ ક્ષમતાનો વિકાસ થવા લાગે છે. માની ન શકાય એવી વાત તો એ છે કે આ ઘટના મગજને ઈજા પહોંચ્યા પછી કે માંદગી પછી થાય છે. આ ઘટનામાં એવું જોવા મળ્યું છે કે આવી મગજની ઈજા થયા પછી અચાનક જ એ વ્યક્તિમાં સંગીત, ચિત્રકલા અથવા ગણિત જેવી બાબતોનો અસાધારણ વિકાસ જોવા મળે છે. સૌથી વધુ સારી રીતે રજીસ્ટર થયેલા કેસોમાંનો એક કેસ ડેરેક અમાટોનો છે, ૨૦૦૬માં તેનું માથું સ્વિમિંગ પૂલના છીછરા છેડા પર અથડાયું હતું અને બાદમાં કોઈ પૂર્વ તાલીમ ન હોવા છતાં એ વ્યાવસાયિક સ્તરે પિયાનો વગાડવાની અકલ્પનીય ક્ષમતા સાથે જાગી ગયો હતો ! વૈજ્ઞાનિકો માને છે કે આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે મગજ પરનો આઘાત ન્યુરલ પાથવેઝને ફરીથી વાયર કરે છે,એટલે કે મગજમાં નર્વઝની જે સર્કિટસ હોય છે એને વિચિત્ર રીતે બદલી નાખે છે, જે મગજની એવી સુષુપ્ત ક્ષમતાઓને અનલૉક કરે છે જે અગાઉ નિષ્ક્રિય હતી. કેટલાક સંશોધકો સૂચવે છે કે આ ક્ષમતાઓ સામાન્ય રીતે મેમરી, પેટર્નની ઓળખ અને મોટર કૌશલ્ય સાથે સંકળાયેલાં મગજનાં ક્ષેત્રોમાંથી ઉદ્ભવે છે, જે ઈજા પછી અતિ સક્રિય અથવા એકત્રિત બને છે. એક્વાયર્ડ સેવન્ટ સિન્ડ્રોમ જન્મજાત સેવન્ટ સિન્ડ્રોમથી અલગ છે, જન્મજાત સેવન્ટ સિન્ડ્રોમ જન્મથી જ દેખાય છે અને ઘણીવાર ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર સાથે જોડાયેલું હોય છે. એક્વાયર્ડ સેવન્ટ સિન્ડ્રોમના અન્ય કિસ્સાઓ સમગ્ર ઇતિહાસમાં નોંધવામાં આવ્યા છે, જે માનવ મગજની એવી સંભવિતતાઓને ઉજાગર કરવા તરફ આંગળી ચીંધે છે કે જેનો ઉપયોગ થયો જ નથી. કેટલાક કિસ્સાઓમાં, જે વ્યક્તિઓ પાસે અગાઉ કોઈ કલાત્મક પ્રતિભા ન હતી તેઓ અચાનક અત્યંત વ્યવસ્થિત કૃતિઓનું ચિત્રકામ કરવાનું શરૂ કરી દે છે, જ્યારે અન્ય લોકોમાં રાતોરાત અદ્યતન ગાણિતિક કૌશલ્યો વિકસી ગયાં હોય તેવું જોવા મળ્યું છે. આ ઘટનાનો અભ્યાસ કરી રહેલા વિજ્ઞાનીઓએ એવી શક્યતા શોધી કાઢી છે કે તમામ માનવીઓ તેમનાં મગજમાં છુપાયેલી ક્ષમતાઓ ધરાવે છે, માત્ર યોગ્ય ટ્રિગર દબાવાથી એ બહાર આવે એટલી જ વાર છે ! ખાસ કરીને ડેરેક અમાટોના કિસ્સાએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે કારણ કે તેણે માત્ર તેની નવી સંગીતની ભેટ જાળવી રાખી નથી પણ કંપોઝ અને પરફોર્મ કરવાનું પણ ચાલુ રાખ્યું છે, જે સાબિત કરે છે કે મગજની પ્લાસ્ટિસિટી ક્યારેક આશ્ચર્યજનક પરિવર્તનમાં પરિણમી શકે છે. આ એક્વાયર્ડ સેવન્ટ સિન્ડ્રોમ ક્યારેક જન્મજાત પણ જોવા મળે છે. ઓટીઝમ જેવા રોગ સાથે જન્મેલું બાળક ક્યારેક અસાધારણ ટેલેન્ટ ધરાવતું હોય તેવું જોવા મળ્યું છે. યાદ રહે કે સેવન્ટ સિન્ડ્રોમ એ કોઈ વિકાર અથવા રોગ નથી, તે એવી સ્થિતિ છે જ્યાં મગજની તકલીફ પર અસાધારણ કુશળતા અને યાદશક્તિ જાણે કોઈ વૃક્ષની કલમ કરીએ તેમ લાગી જાય છે કરવામાં આવે છે જે વિકાસલક્ષી વિકલાંગતા અથવા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના રોગ અથવા ડિસઓર્ડરના કોઈ અન્ય સ્વરૂપમાંથી ઉદભવે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઘણા લોકો અનેક આંકડા કે શબ્દો યાદ રાખીને એ જ ક્રમમાં બોલી જવાની ક્ષમતા ધરાવતા હોય છે એ લોકો સેવન્ટ હોઈ શકે છે. અમુક હેન્ડિકેપ લોકોમાં અન્ય વિષયમાં અસાધારણ ટેલેન્ટ જોવા મળતી હોય છે એને પણ સેવન્ટનું સ્વરૂપ કહી શકાય, જેમ કે ઘણા અંધ લોકો ખૂબ જ સારા ગાયકો હોય છે. આથી હેન્ડિકેપને બદલે હવે દિવ્યાંગ શબ્દ બોલાય છે એ ઉચિત જ છે. એક રસપ્રદ બાબત એ છે કે આવા ઘણા સેવન્ટ્સ, પ્રતિભાઓથી વિપરીત, અત્યંત નીચા બુદ્ધિઆંક (૭૦થી નીચે) ધરાવે છે. જ્યારે સેવન્ટ વ્યક્તિ હેન્ડિકેપ ન હોય અને અસાધારણ ક્ષમતાઓ ધરાવતો હોય તેને જીનીયસ કહેવાય છે. એમ કહેવાય છે કે આવા જીનીયસ દુનિયામાં લગભગ પંચોતેર જેટલા જોવા મળ્યા છે. કીમ પીક નામનો એક સેવન્ટ એવો છે તેણે પોતાનાં જીવન દરમિયાન, બાઇબલ સહિત ૧૨૦૦૦થી વધુ પુસ્તકો યાદ રાખ્યાં હતાં અને તેઓ ભૂગોળ, સંગીત, સાહિત્ય, ઈતિહાસ અને રમતગમત સહિતના પંદર વિષયોના નિષ્ણાત હતા. આશ્ચર્યજનક રીતે, કિમ વાસ્તવમાં એક જ સમયે બે પૃષ્ઠો વાંચી શકતા, તેમની ડાબી આંખ ડાબું પૃષ્ઠ વાંચતી હોય જ્યારે તેમની જમણી આંખ જમણું પૃષ્ઠ વાંચતી હોય !! આવા વધુ કિસ્સા જો જાણવા હોય તો નેટ પર Leslie Lemke, Stephen Wiltshire, Ellen Boudreaux, Daniel Tammet જેવાં નામો પર સર્ચ કરી જોજો, અદભૂત સેવન્ટ વ્યક્તિઓ જોવા મળશે ! ખરેખર મગજ અને એની વિચિત્રતાઓનો પાર પામવો મુશ્કેલ છે. અહીં એવો વિચાર આવે છે કે કુંડલિની જાગૃત થઈ જવી, ત્રીજું નેત્ર ખૂલી જવું એ આવું કંઈક હશે ? ચેતના પ્રબુદ્ધ થઈ જવી કે આત્મ- સાક્ષાત્કાર જેવી બાબતો વિષે કહેવાય છે તે શું આવું કઈંક હશે ? આ બધું જોઈને એમ લાગે છે કે આપણે પણ દીવાલ સાથે માથું અથડાવીએ, કદાચ રામાનુજાચાર્ય બની જવાય. અલબત્ત, માથું જો જોરથી અથડાઈ જાય તો રામશરણ થઈ જવાય એવું પણ બને ! ડૉ પ્રણવ વૈદ્ય

👍 👌 7
HEALTH ALERT
HEALTH ALERT
2/24/2025, 2:34:25 PM

સાયેટિકા આજે આપણે એક ખૂબ સામાન્ય રીતે જોવા મળતા એક રોગ સાયેટિકા વિષે જોઈશું. આ રોગ વિષેની વિગતોમાં જતાં પહેલાં આપણે સાયેટિક નર્વ શું છે એ સમજવું જોઈએ. સાયેટિક નર્વની રચના અને કાર્ય: આપણા કરોડસ્થંભમાં મણકાઓ આવેલા હોય છે. આ મણકાઓની હારમાળાને જ કરોડસ્તંભ કહેવાય છે અને આ મણકાઓની વચ્ચે વચ્ચે ગાદીઓ આવેલી હોય છે. જે કરોડસ્તંભ જ્યારે વળે ત્યારે તેનાં કુશન તરીકે કાર્ય કરે છે. કરોડસ્તંભની અંદર કરોડરજ્જુ આવેલી છે. રજ્જુ એટલે દોરડું. આ કરોડરજ્જુ મગજમાંથી ઉદભવેલા નર્વઝ (ચેતાતંતુઓ)નું દોરડું છે જે ખોપરીમાંથી બહાર નીકળીને કરોડસ્તંભની અંદર ઉતરે છે અને જ્યાં કરોડસ્તંભ પૂરો થાય છે ત્યાં સુધી જાય છે. આ નર્વઝનું કાર્ય શરીરનાં અંગોમાંથી સંવેદનાના સંદેશા મગજ સુધી પહોંચાડવાનું અને મગજ જે આજ્ઞા આપે તેને શરીરનાં અંગો સુધી પહોંચાડવાનું છે. એ યાદ રાખીએ કે અંગોમાંથી મગજમાં સંદેશા લઈ જનાર નર્વઝને સેન્સરી નર્વઝ અને મગજમાંથી સંદેશા અંગોને પહોંચાડનાર નર્વઝને મોટર નર્વઝ કહેવાય છે. હવે આપણે આવીએ આપણા સાયેટિક નર્વ ઉપર. આ નર્વ શરીરનો સૌથી લાંબો નર્વ છે અને સૌથી જાડો નર્વ છે, લગભગ આપણા અંગૂઠા જેટલો જાડો. સાયેટિક નર્વનાં કૂલ પાંચ મૂળ હોય છે જે કમરના નીચેના મણકાઓમાંથી એક દોરડું બનીને સાયેટિક નર્વ તરીકે નીકળે છે અને નિતંબ અને જાંઘના પાછલા ભાગમાંથી નીચે તરફ જાય છે. ગોઠણથી નીચે જતી વખતે એના મુખ્ય બે અને એમાંથી કેટલાક પેટા વિભાગો પડી જાય છે જે પગના નીચેના ભાગ અને પગની આંગળીઓ સુધી જાય છે. આ સાયેટિક નર્વનાં દોરડાંમાં સેન્સરી અને મોટર એમ બન્ને પ્રકારના નર્વઝ હોય છે. બન્ને પગમાં એક-એક સાયેટિક નર્વ જાય છે. આટલું સમજ્યા પછી આપણે સાયેટિકા થવાનાં કારણો અને અને એ કેવી રીતે થાય છે તે જોઈએ. સાયેટિકા થવાનાં કારણો સ્થૂળતા શરીરનું અયોગ્ય પોશ્ચર કમરમાંથી અચાનક અને ઝાટકા સાથે વળવું નીચા વળીને ભારે વજન ઉપાડવું કરોડમાં પહોંચેલી ઈજા ઉંમર સહજ ઘસારો કોઈ ગાંઠ લોહીનો ગઠ્ઠો, સાયેટિકા કેવી રીતે થાય છે: હર્નિએટેડ ડિસ્ક: આને સાદી ભાષામાં ગાદી ખસી જવી કહેવાય છે. કરોડરજ્જુમાં કરોડના મણકાઓ વચ્ચે જે ગાદી આવેલી છે તે બહારની તરફ ખસી જાય છે અને પરિણામે સાયેટિક નર્વ પર દબાણ આવે છે. સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ: કરોડરજ્જુનો નીચેના ભાગની કેનાલ સાંકડી થઈ જાય છે અને તેથી સાયેટિક નર્વ પર દબાણ આવે છે. સ્પૉન્ડિલોલિસ્થેસીસ: કરોડરજ્જુમાંનું મણકાનું એક હાડકું એની મૂળ સ્થિતિમાંથી બહાર સરકી જાય છે. સ્થૂળતા: વધુ પડતું વજન તમારી કરોડ પર લોડ પાડે છે અને તેથી એને ઘસારો લાગે છે અને કરોડ નબળી પડે છે. તમારી નોકરી: એવો વ્યવસાય કે જેને ભારે વજન ઉપાડવાની જરૂર હોય છે, ઘણું નમવું પડતું હોય છે અથવા બેડોળ કે અસામાન્ય સ્થિતિમાં કામ કરતા હોય છે તે લોકોને પીઠની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. લાંબા સમય સુધી બેઠક સાથેની નોકરીઓ - ખાસ કરીને પીઠના યોગ્ય સમર્થન વિના - પણ પીઠની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. યોગ્ય પોશ્ચર ન રાખવું: ભલે તમે ફીટ હો પણ કોઈ વજન ઉપાડતી વખતે સારી મુદ્રાનો ઉપયોગ ન કરો તો પણ આ તકલીફ થઈ શકે છે. જો તમે શારીરિક રીતે ફિટ અને સક્રિય હો તો પણ, જો તમે વેઈટ લિફ્ટિંગ, સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ અથવા સમાન પ્રવૃત્તિઓ દરમિયાન યોગ્ય શારીરિક પોશ્ચરનું પાલન ન કરો તો પણ તમને સાયેટિકા થવાની સંભાવના વધી જાય છે. બોન સ્પર્સ: કરોડરજ્જુના હાડકાં પર હાડકાની અતિશય વૃદ્ધિ થઈ અને એ સાયેટિક નર્વને દબાવે છે. પિરીફોર્મિસ સિન્ડ્રોમ: નિતંબમાં પિરિફોર્મિસ નામનો સ્નાયુ હોય છે એ ખેંચાઈ જાય છે અને એ ખેંચાણ સાયેટિક નર્વ પર દબાણ લાવે છે. આ ઉપરાંત તમાકુનું સેવન તથા ડાયાબિટીસને પણ સાયેટિકાનાં કારણો બતાવ્યાં છે. સાયેટિકા કોઈ કારણ વગર પણ થઈ શકે છે. સાયેટિકાનાં લક્ષણો: સાયેટિકા હોવાનો અર્થ એ છે કે તમે સાયેટિક નર્વ સાથે જોડાયેલી પેટા નર્વઝના વિસ્તારમાં ગમે તે જગ્યાએ હળવીથી ગંભીર પીડા અનુભવી શકો છો. આ લક્ષણો તમારી પીઠ, નિતંબ અથવા પગને અસર કરી શકે છે. આ લક્ષણો તમારા પગ અને અંગૂઠા સુધી પણ વિસ્તરી શકે છે. અહીં એક વસ્તુ ખાસ ખાસ સમજવાની છે. સાયેટિકાના પેશન્ટને દુઃખાવો ભલે પીઠ, નિતંબ, જાંઘ કે ગોઠણ નીચેના ભાગમાં ગમે ત્યાં થાય પણ જે તકલીફ છે એ દુઃખાવાનાં જે-તે સ્થળે બિલકુલ નથી હોતી પણ તકલીફનું ઉત્પત્તિ સ્થળ એ હોય છે કે જ્યાં સાયેટિક નર્વ પર દબાણ આવતું હોય. આ સમજવું પડશે. માનો કે ઘરમાં પંખો નથી ચાલતો, ટીવી નથી ચાલતું, ટ્યુબલાઈટ નથી થતી આ બધું થવાનું કારણ એ બધાંમાં પોતામાં ખરાબી હોય એટલે નહીં પણ સ્વિચબોર્ડમાં વાંધો હોય એટલે થાય છે. જો તમે આ સમજો તો તમે સાયેટિકાના વિચિત્ર દુઃખાવાને સમજી શકો. સ્વિચબોર્ડના વાંધાની જેમ વાંધો અહીં સાયેટિક નર્વ જ્યાં દબાતી હોય ત્યાં હોય છે. પગના અન્ય ભાગો પર તો માત્ર એની અસર જ જોવા મળે છે. હવે લક્ષણો વિસ્તારથી જોઈએ. દુઃખાવો: મોટાભાગના લોકો સાયેટિકાના દુ:ખાવાને બળતરા અથવા તો ઈલેક્ટ્રિક શોક જેવી વર્ણવે છે. આ દુઃખાવો પીઠના નીચેના ભાગ કે નિતંબમાંથી શરૂ થઈ અને પગમાં નીચે તરફ જાય છે. આ દુઃખાવો સામાન્ય રીતે ઉધરસ, છીંક, શરીરને વાળવું કે પછી તમારી પીઠ પર સૂતા હો ત્યારે તમારા પગને ઉપરની તરફ ઉઠાવવાથી થાય છે. કળતર અને ખાલી ચડી જવી: આમાં અસરગ્રસ્ત ભાગમાં કળતર થાય છે અને સોય કે ટાંચણીઓ ભોંકાતી હોય તેવું લાગે છે. જ્યારે પગ સૂઈ જાય છે ત્યારે તમને જે લાગણી થાય છે તેના જેવું જ આ હોય છે. આપણે ઉપર જોયું એ પ્રમાણે સાયેટિક નર્વ સેન્સરી અને મોટર એમ બંને કાર્યો કરે છે. ઉપર જોઈ એ સેન્સરી કાર્યની ખામી હતી, હવે જો મોટર પાર્ટ દબાતો હોય તો જે તકલીફ થાય તે જોઈએ. સ્નાયુઓની નબળાઈ: આ એક વધુ ગંભીર લક્ષણ છે. તેનો અર્થ એ છે કે મગજ સ્નાયુઓને કમાન્ડ કરવા જે સિગ્નલો મોકલે છે તેમાંને તમારી પીઠ અથવા પગમાં તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. પેશાબ અને/અથવા મળત્યાગ પરનો કાબુ જવો: આ પણ એક ખૂબ જ ગંભીર લક્ષણ છે. તેનો અર્થ એ છે કે તમારા મૂત્રાશય અને આંતરડાંને નિયંત્રિત કરતા સંકેતો તેમના ગંતવ્ય સુધી પહોંચી રહ્યા નથી. સાયેટિકાનું નિદાન: આ રોગ ખૂબ કોમન છે અને ઉપર જણાવેલાં લક્ષણો જ્યારે પેશન્ટ વર્ણવે ત્યારે એને સાયેટિકા છે એવું સમજાઈ જાય છે. એક ખૂબ સરસ પરીક્ષણ એના માટે કરાય છે. વ્યક્તિને સીધી સૂવાડી અને એને પગ ગોઠણમાંથી વાળ્યા વગર ડોક્ટર ઊંચો લઈ જાય છે. જો સાયેટિકા હોય તો પેશન્ટના પગમાં દુઃખાવો થવા લાગે છે. આ ઉપરાંત પેશન્ટને ચાલવાની અને અન્ય મૂવમેન્ટ્સ કરાવીને એનું અવલોકન કરીને પણ ડૉક્ટર તારણ પર આવી શકે છે. આવશ્યકતા અનુસાર ડોક્ટર પેશન્ટને સ્પાઈન એક્સ-રે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કેન મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) સ્કેન ઈલેક્ટ્રોમાયોગ્રાફી માયેલોગ્રામ જેવા એડવાન્સ્ડ ટેસ્ટ કરાવી શકે છે. સાયેટિકાની સારવાર: સાયેટિકાની સારવાર રોગ કેટલો આગળ વધેલો છે તેના પર આધાર રાખે છે. સાયેટિકાની સારવારમાં સામાન્ય રીતે પીડા ઘટાડવા અને મૂવમેન્ટ વધારવાનો પ્રયાસ કરવાનો સમાવેશ થાય છે. ઘણી સારવારને લગતી બાબતો એવી છે જે તમે જાતે પણ કરી શકો છો. સાયેટિકા થવાનાં કારણ પર આધાર રાખીને, તેના હળવા કેસો સામાન્ય રીતે સ્વ-સારવારથી સારા થઈ જાય છે. જો સાયેટિકા એ લેવલે પહોંચી છે છે જે દૂર થતી નથી અથવા વધુ ગંભીર છે તો સારવારના ઘણા વિકલ્પો છે. જો તમારો કેસ ગંભીર હોય અથવા અન્ય સારવારો મદદ ન કરતી હોય તો સર્જરી એક વિકલ્પ હોઈ શકે છે. બરફનો શેક: બરફનો શેક દુ:ખાવો શરૂ થયા પછીના પ્રથમ થોડા દિવસોમાં દુ:ખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે આ માટે આઈસ પેક અથવા શાકભાજીની થેલીનો ઉપયોગ કરી શકો છો. બરફના ગાંગડાઓને ટુવાલમાં લપેટીને પણ કરી શકો છો. એક સમયે વીસ મિનિટ માટે આ શેક કરો. દિવસમાં ઘણી વખત આ કરી શકાય છે. ગરમ શેક: આઈસપેક અથવા બરફનો ઉપયોગ કર્યાના પ્રથમ કેટલાક દિવસો પછી, હીટિંગ પેડ અથવા ગરમ કોમ્પ્રેસ પર સ્વિચ કરો. એક સમયે વીસ મિનિટ માટે ગરમીથી શેક કરો. જો છતાં દુઃખાવો ચાલુ રહે તો ગરમ અને ઠંડા પેક વચ્ચે સ્વિચ કરો, આ ઘણો કારગર ઉપાય છે. સારવારમાં નીચેનાનો પણ સમાવેશ કરી શકે છે: પ્રિસ્ક્રિપ્શન દવાઓ: પેઇનકિલર્સ એટલે કે દુઃખાવો ઘટાડતી દવાઓ,સ્નાયુઓને રિલેક્સ કરનારી દવાઓ અને અન્ય દવાઓ સાયેટિકાનાં લક્ષણોમાં મદદ કરી શકે છે. આ ઉપરાંત ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ્સ અને એન્ટી-સીઝર દવાઓ જેવી અન્ય દવાઓ પણ મદદ કરી શકે છે. પ્રેગાબાલીન નામની નર્વઝના દુઃખાવા પર કામ કરતી દવા પણ અપાય છે. એક્સરસાઇઝ: અન્ય વિકલ્પોમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અથવા વૉકિંગ, સ્વિમિંગ અથવા વૉટર ઍરોબિક્સ જેવી ઓછી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ફિઝિયોથેરાપી: સાયેટિકામાં ફિઝિયોથેરાપી ખૂબ મોટો ભાગ ભજવી શકે છે. ફિઝિયોથેરાપિસ્ટ આ બાબતોના નિષ્ણાત હોય છે અને તેઓ વિશિષ્ટ પ્રકારની એક્સરસાઈઝો ઉપરાંત અન્ય ઉપકરણોથી ઘણી રાહત પહોંચાડી શકે છે. સ્પાઈનલ ઇન્જેક્શન: કોર્ટીકોસ્ટેરોઈડ્સ જેવાં ઈન્જેક્શનો સ્પાઈનમાં આપવામાં આવે છે. ટૂંકા ગાળાની રાહત આપી શકે છે (સામાન્ય રીતે ત્રણ મહિના સુધી). આમાં સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયાનો સમાવેશ થાય છે. વૈકલ્પિક ઉપચાર: આ સારવારો વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે અને પ્રમાણભૂત તબીબી ઉપચાર અથવા દવાઓ સિવાયના વિકલ્પો ઓફર કરે છે. તેમાં સ્પાઈન એડજસ્ટમેન્ટ, યોગ, એક્યુપંક્ચર અને વધુ માટે શિરોપ્રેક્ટરની સારવારનો સમાવેશ થાય છે. મસાજ થેરાપી સાયેટિકાને લીધે થતાં સ્નાયુ ખેંચાણમાં પણ મદદ કરી શકે છે. સાયેટિકાની રોકથામ: સારી મુદ્રા જાળવો. જ્યારે તમે બેસતા હો, ઊભા હો, વસ્તુઓ ઉપાડતા હો અને સૂતા હો ત્યારે સારી મુદ્રાની તકનીકોને અનુસરો. તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ છોડો (અથવા શરૂ કરશો નહીં). તમારા માટે તંદુરસ્ત હોય તેવાં વજન સુધી પહોંચો અને જાળવી રાખો. ખાતરી કરો કે તમને હાડકાંનાં સ્વાસ્થ્ય માટે પણ પૂરતું કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે. સક્રિય રહો. શારીરિક પ્રવૃત્તિમાં સ્ટ્રેચિંગથી લઈને સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ સુધીની દરેક બાબતોનો સમાવેશ થઈ શકે છે. કોર સ્ટ્રેન્થ અને લવચીકતા વધારવાથી પીઠના દુખાવામાં સુધારો થઈ શકે છે. પ્રવૃત્તિના અન્ય પ્રકારો, જેમ કે એરોબિક વ્યાયામ, તમારા માટે તંદુરસ્ત વજન સુધી પહોંચવામાં અને જાળવવામાં પણ તમને મદદ કરી શકે છે. તમારી જાતને પડી જવાથી બચાવો. પગરખાં પહેરો જે બંધબેસતાં હોય અને તમારા પડી જવાની શક્યતા ઘટાડવા માટે સીડી અને વૉકવેને ગડબડથી મુક્ત રાખો. ખાતરી કરો કે રૂમ સારી રીતે પ્રકાશિત છે અને બાથરૂમમાં ગ્રેબ બાર છે અને દાદર પર રેલ છે. સર્જીકલ ટ્રીટમેન્ટ: જો દવાઓ, એક્સરસાઇઝ વગેરે ઉપાયોથી ફાયદો ન થાય અને રોગ સહનશક્તિની બહાર જતો રહે કે કોઈ જોખમ ઊભું થાય તો સર્જીકલ ટ્રીટમેન્ટનો આશરો લેવો પડે છે. તેમાં ડિસ્કેકટોમી, લેમીનેકટોમી વગેરેનો સમાવેશ થાય છે. સાયેટિકાથી ડરી જવાની જરૂર નથી. ઘણી વખત આ રોગ કશું કર્યા વગર પણ મટી જાય છે. વિશેષ નોંધ: આ લેખ ડોક્ટરની સલાહ અને સારવારનો વિકલ્પ નથી. ડૉ પ્રણવ વૈદ્ય

👍 ❤️ 6
Link copied to clipboard!